રામ મંદિર દાન ચોરી: CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો
રામ મંદિર દાન ચોરી: CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો
Published on: 08th July, 2026

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગેરરીતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ માની રહી છે કે દસ્તાવેજો કરતાં આરોપીઓની સામસામે પૂછપરછથી વધુ સત્ય બહાર આવશે. જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરાઈ છે. દાન ગણતરી રૂમમાં CCTV નિરીક્ષણમાં બેદરકારીનો ફાયદો ઉઠાવીને 6 કર્મચારીઓએ 2 થી 3 કરોડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ રકમનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા માટે કરાયો હતો. 79 લાખ રોકડ અને દાગીના રિકવર કરાયા છે.