હિન્દુ કુશ હિમનદીઓ પીગળતાં બે અબજ લોકોને પીવાના પાણીની ગંભીર તંગી સર્જાશે: ICIMOD
હિન્દુ કુશ હિમનદીઓ પીગળતાં બે અબજ લોકોને પીવાના પાણીની ગંભીર તંગી સર્જાશે: ICIMOD
Published on: 30th August, 2026

હિમાલય અને હિન્દુ કુશ પર્વતમાળાની હિમનદીઓ ખૂબ ઝડપથી પીગળી રહી છે, જેના કારણે 12 મુખ્ય નદીઓના તટ પ્રદેશમાં રહેતા અંદાજે બે અબજ લોકો માટે પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે. ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ જેવી નદીઓ એશિયાના 16 દેશોના 24 કરોડ લોકોને પાણી પૂરું પાડે છે. ICIMOD ના સંશોધન મુજબ, ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ઘટશે નહીં તો આ સદીના અંત સુધીમાં 80% બરફ પીગળી જશે. ક્લાઈમેટ ચેન્જને કારણે પર્વતીય વિસ્તારોમાં બરફનો જથ્થો ઓછો થઈ રહ્યો છે.