ઉન્નાવ એક્સપ્રેસ-વે પર AC બસ પલટી: 5ના મોત, પોલીસકર્મી-કેદી સહિત ઘાયલ!
ઉન્નાવ એક્સપ્રેસ-વે પર AC બસ પલટી: 5ના મોત, પોલીસકર્મી-કેદી સહિત ઘાયલ!
Published on: 26th May, 2026

લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે પર ઉન્નાવ પાસે એક ડબલ ડેકર AC બસ બેકાબુ થઈને પલટી ગઈ. આ ગંભીર અકસ્માતમાં એક પોલીસકર્મી અને એક કેદી સહિત કુલ 5 મુસાફરોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. દિલ્હીથી બિહાર જઈ રહેલી આ બસમાં આશરે 30 મુસાફરો સવાર હતા. પ્રાથમિક તપાસ મુજબ, ડ્રાઈવરને ઝોકું આવવાથી અકસ્માત થયો હોવાનું મનાય છે. બસ પુરપાટ ઝડપે જઈ રહી હતી અને ડિવાઈડર સાથે અથડાઈને રોડની રેલિંગ પર લટકી ગઈ. અનેક મુસાફરો બારીઓમાંથી નીચે પડ્યા, જેમાં એકનો પગ કપાઈ ગયો.