'રોહિત-કોહલી વિના વર્લ્ડ કપ અશક્ય', લિયોનેલ મેસીનું ઉદાહરણ આપી કૈફની BCCIને સલાહ
'રોહિત-કોહલી વિના વર્લ્ડ કપ અશક્ય', લિયોનેલ મેસીનું ઉદાહરણ આપી કૈફની BCCIને સલાહ
Published on: 18th July, 2026

ભારતીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે BCCIને મહત્વની સલાહ આપી છે. કૈફના મતે, 2027 નો વનડે વર્લ્ડ કપ જીતવા માટે આ બંને દિગ્ગજ ખેલાડીઓની ટીમમાં હાજરી અનિવાર્ય છે. તેમણે લિયોનેલ મેસીનું ઉદાહરણ આપતાં કહ્યું કે મોટી ટુર્નામેન્ટ્સમાં અનુભવી ખેલાડીઓ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપે છે અને ટીમની જીતની તકો વધારે છે. મેસીએ 39 વર્ષની ઉંમરે પણ આર્જેન્ટિનાને વર્લ્ડ કપ ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેથી, 2027 માં ભારત માટે રોહિત અને કોહલી જેવા અનુભવી ખેલાડીઓની જરૂર પડશે.