કચ્છ-મુંબઈ રેલવે લાઇન કામગીરી: અનેક ટ્રેનો રદ્દ
કચ્છ-મુંબઈ રેલવે લાઇન કામગીરી: અનેક ટ્રેનો રદ્દ
Published on: 18th July, 2026

પશ્ચિમ રેલવે દ્વારા સામખિયાલી–વોંધ–ભચાઉ રેલખંડ પર ક્વાડ્રુપ્લીંગ અને આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કામને કારણે કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી અનેક ટ્રેનોને અસર થશે. કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો નિર્ધારિત તારીખે અમદાવાદ સુધી જ દોડશે. અસરગ્રસ્ત મુસાફરોને SMS દ્વારા જાણ કરાશે, પરંતુ મુસાફરી કરતા પહેલા રેલવેની વેબસાઇટ અથવા NTES એપ પર ટ્રેનની સ્થિતિ તપાસી લેવી હિતાવહ છે.