ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
અમિતાભ બચ્ચન ફરી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં આવેલા 134 વર્ષ જૂના પ્રાચીન વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષ 1892માં કાજાર યુગ દરમિયાન બનેલું આ મંદિર ત્યાં વેપાર કરતા ભારતીય હિંદુ વેપારીઓ માટે બનાવાયું હતું. વીડિયોમાં પર્શિયન ભાષામાં ભજન પણ સાંભળવા મળે છે. અમિતાભની આ પોસ્ટ બાદ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ બની ગઈ છે.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
ક્યુબાનાં ડ્રોનની અમેરિકામાં એલર્ટ!
ક્યુબાને 300થી વધુ યુદ્ધ ડ્રોન મળ્યાના અહેવાલોથી અમેરિકા અને ક્યુબા વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. ગુપ્તચર માહિતીના આધારે અમેરિકી સૂત્રોએ દાવો કર્યો છે કે આ ડ્રોન અમેરિકાના ગ્વાંતાનામો બેઝ, યુદ્ધજહાજો અને ફ્લોરિડાને નિશાન બનાવી શકે છે. સાથે જ ક્યુબામાં ઇરાની સૈન્ય સલાહકારોની હાજરીને પણ ચિંતાજનક ગણાવવામાં આવી છે. જોકે ક્યુબાના વિદેશ મંત્રી Bruno Rodríguez Parrillaએ આ અહેવાલોને ખોટા ગણાવી અમેરિકા પર ભવિષ્યના આર્થિક પ્રતિબંધો અને સંભવિત સૈન્ય હુમલા માટે બહાનું તૈયાર કરવાનો આરોપ લગાવ્યો છે.
ક્યુબાનાં ડ્રોનની અમેરિકામાં એલર્ટ!
મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે US PGA ચેમ્પિયનશિપ જીતી.
ભારતીય મૂળના બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે પ્રતિષ્ઠિત PGA Championship જીતી ગોલ્ફ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. 31 વર્ષીય એરોન રાય વર્ષ 1919 બાદ આ ખિતાબ જીતનારા પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યા છે, જેના દ્વારા તેમણે 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ફાઇનલમાં તેમની સામે રોરી મેકઇલરાય અને જોન રહમ જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા. શરૂઆતમાં કેટલીક ભૂલો છતાં વિશ્વ રેન્કિંગમાં 44મા સ્થાને રહેલા એરોન રાયે જબરદસ્ત વાપસી કરીને ઐતિહાસિક જીત મેળવી હતી.
મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે US PGA ચેમ્પિયનશિપ જીતી.
ઈરાનના સૂર બદલાયા?
અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા ઈરાન સામે ફરી હુમલાની તૈયારીના અહેવાલોથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. જર્મની સ્થિત અમેરિકી સૈન્ય બેઝ પરથી હથિયારો અને ગોળા-બારૂદ લઈને અનેક અમેરિકી વિમાનો તેલ અવીવ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને મહાયુદ્ધની તૈયારી માનવામાં આવી રહી છે. બીજી તરફ Iranએ યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે, પરંતુ પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ સમાધાન નહીં કરવાની સ્પષ્ટતા કરી છે. ઈરાને જણાવ્યું કે તે International Atomic Energy Agencyના નિયમો હેઠળ પોતાના પરમાણુ અધિકારો સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.
ઈરાનના સૂર બદલાયા?
એક જ ફિલ્મમાં 3 અવતાર" ક્રિકેટ, કુશ્તી અને રેસ!
પેડ્ડીનું ટ્રેલર રિલીઝ થતાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર બુચ્ચી બાબુ સાના દ્વારા નિર્દેશિત આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામામાં રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં ગામડાની પૃષ્ઠભૂમિ, રમત પ્રત્યેનો જુસ્સો અને જબરદસ્ત એક્શન દર્શાવવામાં આવ્યા છે. રામ ચરણ ક્રિકેટ, કુશ્તી અને દોડમાં નિષ્ણાત યુવાન ‘પેડ્ડી’ના પાત્રમાં જોવા મળે છે. જાહ્નવી કપૂર સહિત અનેક જાણીતા કલાકારો ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આશરે ₹300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 4 જૂને વિશ્વભરમાં રિલીઝ થશે.
એક જ ફિલ્મમાં 3 અવતાર" ક્રિકેટ, કુશ્તી અને રેસ!
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર!
ભારતની મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. Ministry of Railwaysએ નવી દિલ્હીમાં પોતાના ગેટ નંબર 4 પર હાઈ-સ્પીડ ટ્રેન સેટનો ફોટો પ્રદર્શિત કર્યો છે, જેમાં ટ્રેનની આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન જોવા મળે છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે અને તેનો પ્રારંભ 15 ઓગસ્ટ 2027 સુધી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેનથી હાલમાં કલાકો લેતી મુસાફરી માત્ર આશરે 2 કલાકમાં પૂર્ણ થઈ શકશે, જે મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર!
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
અભિનેત્રી મોની રોય અને તેમના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે સૂરજે સત્તાવાર નિવેદન આપી તમામ અફવાઓ ફગાવી દીધી છે. તેમણે ભરણપોષણ, ઝઘડા અથવા ત્રીજી વ્યક્તિની સંડોવણીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સૂરજે જણાવ્યું કે બંનેએ પરસ્પર સન્માન અને સમજદારીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે મીડિયા અને લોકોને તેમની પ્રાઇવસીનું સન્માન કરવા તેમજ નિર્દોષ મિત્રોને આ વિવાદમાં ન ખેંચવા અપીલ કરી હતી. મૌની અને સૂરજના લગ્ન વર્ષ 2022માં ગોવામાં ધામધૂમથી થયા હતા.
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જોન અબ્રામમ નવા બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે. ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં દિગ્દર્શન હેઠળ બનેલી ૧૯૯૮ની ફિલ્મ 'એલિઝાબેથ'માં ડેનિયલ ક્રેગનું પરફોર્મન્સ વખણાયા બાદ જ ડેનિયલ ક્રેગને નવા બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ફરી યુદ્ધના એંધાણ?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં AIથી બનાવેલા 20થી વધુ સૈન્ય હુમલાના ચિત્રો અને વીડિયો શેર કર્યા છે. ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરાયેલા આ ચિત્રોમાં ઈરાન પર અમેરિકી હુમલાના દૃશ્યો, ડ્રોન એટેક અને પરમાણુ વિસ્ફોટ જેવા દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે ઈરાનને શાંતિ સમજૂતી માટે ઝડપથી પગલાં લેવા ચેતવણી આપી હતી. બીજી તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિથી વૈશ્વિક તેલ બજાર, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર ગંભીર અસર પડી રહી છે.
ફરી યુદ્ધના એંધાણ?
શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?
1960માં ભૌતિકશાસ્ત્રી હેન્ઝ વોન ફોસ્ટરે ગણિત-વિજ્ઞાન પર આધારિત ભવિષ્યવાણી કરી હતી કે 13 નવેમ્બર 2026ના રોજ અતિશય વસ્તી વધારાને કારણે પૃથ્વી માનવ સંસ્કૃતિને સહન કરી શકશે નહીં. ખોરાક, પાણી, જગ્યા અને સંસાધનો ખૂટી જવાથી યુદ્ધ, અકાળ, બીમારીઓ અને વિનાશ સર્જાઈ શકે છે. આ "ડૂમ્સ્ડે" દિવસ ગણાવાયો હતો. આજના સમયમાં, આ ભવિષ્યવાણી અનેક સમસ્યાઓ (climate change, global warming, water scarcity) ને કારણે ફરી ચર્ચામાં છે. વૈજ્ઞાનિકો ચોક્કસ તારીખ ખોટી માને છે, પણ ચેતવણી ગંભીરતાથી લેવા પર ભાર મૂકે છે.
શું ખરેખર 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે?
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
તિલક વર્મા અને અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી છે. સૂર્યકુમાર યાદવના મજાકિયા વીડિયોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. અગાઉ શ્રીલીલાની માતા મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતા અને સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ થતા અફવાઓ શરૂ થઈ હતી. જોકે શ્રીલીલાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બંને ક્યારેય મળ્યા પણ નથી અને આ તમામ ચર્ચાઓ પાયાવિહોણી છે. હાલ બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
ગ્વાદર પોર્ટ બદલ ચીનને પરમાણુ સબમરીન આપવાની પાકિસ્તાનની યોજના.
પાકિસ્તાનના સંરક્ષણ તંત્ર અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. Drop Site Newsના અહેવાલ મુજબ પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરએ વર્ષ 2024માં ચીન પાસેથી પરમાણુ સબમરીન મેળવવાના બદલામાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગ્વાદર પોર્ટને ચીની સેનાના કાયમી સૈન્ય અડ્ડા તરીકે વિકસાવવા ગુપ્ત યોજના બનાવી હતી. અહેવાલ અનુસાર પાકિસ્તાને બેજિંગને ગ્વાદર બંદરનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી, જ્યારે બદલામાં પરમાણુ હુમલા માટે સક્ષમ સબમરીનની માંગ કરવામાં આવી હતી.
ગ્વાદર પોર્ટ બદલ ચીનને પરમાણુ સબમરીન આપવાની પાકિસ્તાનની યોજના.
ગડકરી પરિવારને મિડલ ઈસ્ટ યુદ્ધથી કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા મધ્ય-પૂર્વ તણાવની અસર હવે ભારતીય વેપાર પર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો કે યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેમના પરિવારના બિઝનેસને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની કંપની સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને દર મહિને આશરે 100 કન્ટેનર અમેરિકા મોકલાતા હતા. જોકે અમેરિકા-ઈરાન તણાવ વધતા આ કન્ટેનરોની નિકાસ અટકી ગઈ છે, જેના કારણે વેપાર અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે.
ગડકરી પરિવારને મિડલ ઈસ્ટ યુદ્ધથી કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા.
રસ્તા પર નમાઝ: CM યોગીની કડક ચેતવણી.
ઉત્તર પ્રદેશનાના CM યોગી આદિત્યનાથે રસ્તાઓ પર નમાઝ પઢવા મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે રસ્તાઓ સામાન્ય નાગરિકો માટે છે અને ત્યાં નમાઝ બિલકુલ સહન નહીં થાય. જો લોકો પ્રેમથી નહીં માને તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાઓ પર ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને તમાશો બનાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુ સંખ્યા હોય તો શિફ્ટમાં નમાઝ પઢવાની સલાહ આપી. સિસ્ટમ સાથે રહેવું હોય તો નિયમો માનવા પડશે. કાયદાનું શાસન બધા માટે સમાન છે, અરાજકતા નહીં ફેલાવા દઈએ.
રસ્તા પર નમાઝ: CM યોગીની કડક ચેતવણી.
AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ: PM મોદીની સ્વીડન યાત્રામાં 5 મોટી ડીલ.
PM મોદીએ સ્વીડનના ગોથેનબર્ગમાં યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લીધો. UAE અને નેધરલેન્ડ્સની મુલાકાત બાદ આ યાત્રા સફળ રહી. સ્વીડનના PM અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે, ભારત-યુરોપના સંબંધો વધુ મજબૂત બન્યા. ભારત-સ્વીડન સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારી બન્યા છે. 2026-2030 માટે જોઈન્ટ એક્શન પ્લાન જાહેર થયો, જે આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારશે. AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, અને Renewable ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ દ્વારા રોજગારી નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું.
AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ: PM મોદીની સ્વીડન યાત્રામાં 5 મોટી ડીલ.
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 90 દિવસમાં 3700+ સોદા કર્યા!
ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં ઈરાન મુદ્દે વધતા તણાવ વચ્ચે હવે અમેરિકાના શેરબજાર સંબંધિત મોટા વિવાદમાં ફસાયા છે. અહેવાલો મુજબ ટ્રમ્પ અથવા તેમના સહયોગીઓએ વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનામાં 3700થી વધુ સ્ટોક ટ્રેડ કર્યા હતા, જેના કારણે તેઓ તપાસના દાયરામાં આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર આ સોદાઓમાં આઈટી, ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા ક્ષેત્રની મોટી કંપનીઓના કરોડો ડૉલરના ટ્રેડ સામેલ હતા. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સરેરાશ દરરોજ 40થી વધુ ટ્રેડ થયા હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 90 દિવસમાં 3700+ સોદા કર્યા!
નેધરલેન્ડ્સના આરોપો પર ભારતનો સખત જવાબ, લઘુમતીઓના અધિકારો સુરક્ષિત.
ભારતે નેધરલેન્ડ્સના લઘુમતી અધિકારો પરના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા. વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે જણાવ્યું કે, ભારત જીવંત લોકશાહી છે, જ્યાં અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી છે. તેમણે ભારતની 5000 વર્ષ જૂની સભ્યતા, ધાર્મિક વિવિધતા અને તમામ ધર્મોના સ્વાગતનો ઉલ્લેખ કર્યો, જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન, શિખ, યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સમાવેશ થાય છે. આઝાદી સમયે 11% લઘુમતીઓ આજે 20% થી વધુ છે, જે ભારતમાં સુરક્ષા અને પ્રગતિ દર્શાવે છે.
નેધરલેન્ડ્સના આરોપો પર ભારતનો સખત જવાબ, લઘુમતીઓના અધિકારો સુરક્ષિત.
ચીનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ, 2 મોત, 7000 લોકોનું સ્થળાંતર.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC, JIO UPSC ભવન અને સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા IAS-IPS બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અહી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે, જેમાં રુ. 1000 થી 8000 સુધીની રિફંડેબલ ડિપોઝિટ લેવાય છે. 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC પાસ કરી ઓફિસર બન્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, 2ના મોત.
સોમવારની વહેલી સવારે દક્ષિણ ચીનનો મોટો હિસ્સો ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. કુદરતી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, 2ના મોત.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
મેક્સિકોના પુએબ્લા રાજ્યના તેહુઇટ્ઝિંગો શહેરમાં અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોનો જીવ લીધો. આ ઘટનામાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ફેડરલ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હુમલાખોર કે તેના હેતુ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ પુએબ્લા રાજ્યમાં હિંસાની પ્રથમ ઘટના નથી, અગાઉ પણ આવા હુમલાઓ થયા છે.
મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત.
અમેરિકામાં એર શો દરમિયાન હવામાં અથડાયા બે F-18 ફાઇટર જેટ.
અમેરિકાના ઇડાહોના માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ ખાતે 'ગનફાઇટર સ્કાઇઝ એર શો' દરમિયાન અમેરિકન નેવીના બે સુપર હોર્નેટ ફાઇટર જેટ્સ હવામાં અથડાયા. આ ભયાનક દુર્ઘટના બાદ, વિમાનોમાં સવાર ચાર ક્રૂ મેમ્બર્સે એજેક્શન સીટનો ઉપયોગ કરીને સમયસર બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો. એર શો રદ કરવામાં આવ્યો અને તપાસ શરૂ કરાઈ.
અમેરિકામાં એર શો દરમિયાન હવામાં અથડાયા બે F-18 ફાઇટર જેટ.
PM મોદી: ભારત-સ્વીડન લોકશાહીનો સહયોગ, આતંકવાદ સામે લડાઈ ચાલુ.
PM મોદી સ્વીડન મુલાકાતે. ગોથેનબર્ગમાં 'યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી'માં બોલ્યા, આતંકવાદ માનવતા માટે ખતરો છે, તેની સામે લડાઈ ચાલુ રાખીશું. ભારત-સ્વીડન જેવા લોકશાહી દેશોનો સહયોગ જરૂરી. પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન 'રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' મળ્યું. આ તેમનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
PM મોદી: ભારત-સ્વીડન લોકશાહીનો સહયોગ, આતંકવાદ સામે લડાઈ ચાલુ.
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા છે. અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનનાં 50 લાખ ડોલરથી 2.5 કરોડ ડોલર સુધીનાં શેર વેચ્યા હતાં અને માર્ચમાં આ જ કંપનીઓનાં કરોડો ડોલરનાં શેર ખરીદી લીધા હતાં.જો કે શેરોની લેવડદેવડની આ માહિતી યોગ્ય સમયમાં જાહેર કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને દંડ ભરવો પડયો છે.
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ!
કલ્પસર ડેમ : PM મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
PM મોદીના યુરોપ પ્રવાસમાં નેધરલેન્ડ સાથે ૧૭ કરાર થયા. તેમાં સેમીકન્ડક્ટર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રન હાઈડ્રોજન, ઊર્જા, કૃષિ અને ટેક્નોલોજીનો સમાવેશ છે. ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ માટે ટાટા અને ASML વચ્ચે સમજૂતી થઈ. આ ભારત-નેધરલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.
કલ્પસર ડેમ : PM મોદી ઐતિહાસિક ભવિષ્ય નિર્માણ કરશે.
ડભોઇમાં બદ્રીનારાયણ મંદિરમાં ભાગવત કથાનો શુભારંભ.
ડભોઇના શ્રી બદ્રીનારાયણ મંદિરમાં અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ-ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે. હિંદુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાય છે, જે ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના સાનિધ્યમાં યોજાતી આ કથા ભક્તોને ધર્મપ્રેમ સાથે જોડે છે. મુખ્ય યજમાન હરીશ પંચાલ અને કિરણબેન પંચાલે યોજેલી પોથીયાત્રા, પૂજન અને આરતીએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું.
ડભોઇમાં બદ્રીનારાયણ મંદિરમાં ભાગવત કથાનો શુભારંભ.
કોઠંબા સિદ્ધેશ્વર મંદિરમાં શનિદેવ મહારાજની પ્રતિષ્ઠા.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો.
ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારાઇ આવી હતી.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો.
ભરૂચમાં અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો.
ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામમાં રાવ પરિવારની કૂળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી અવસરે નવચંડી યાગ સંપન્ન થયો. મુખ્ય યજમાન નરપતભાઇ રાવ પરિવારના હસ્તે પ્રતિમા શૃંગાર, નૂતન ધ્વજારોહણ અને વેદોક્ત વિધિસર યજ્ઞ પ્રારંભ કરાયો. મોટી સંખ્યામાં ભક્તિપ્રિય જનતાએ આરતી, ધૂન, સ્તુતિગાન અને દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
ભરૂચમાં અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
ભરૂચના જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરે યોગીજી મહારાજના 134મા પ્રાગટ્યદિન નિમિત્તે યોગીપર્વ યોજાયું. પૂ. વૈરાગ્યપ્રિય સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગ મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા. હરિભક્તોએ યજમાન, પ્રસાદ, રસોઈ સહિત વિવિધ સેવાઓ ઉત્સાહપૂર્વક કરી. મંદિર પરિસર ભક્તિમય બન્યું.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
અધિક માસ: સૂર્ય-ચંદ્રની ગતિ અને ઋતુઓનું વૈજ્ઞાનિક સંતુલન
હિંદુ પંચાંગમાં દર અઢી વર્ષે અધિક માસ ઉમેરાય છે. આ ખગોળીય ઘટના પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિ વચ્ચે 11 દિવસના તફાવતને સરખો કરવા માટે છે. તેનાથી તહેવારો હંમેશા તેમની ઋતુ સાથે જોડાયેલા રહે છે. આ વ્યવસ્થા હિન્દુ, ચીની, યહૂદી અને તિબેટીયન કેલેન્ડરમાં પણ જોવા મળે છે.