દેશભરમાં 1 લાખથી વધુ કર્મચારીઓ કરશે વસતી ગણતરી.
દેશભરમાં 1 લાખથી વધુ કર્મચારીઓ કરશે વસતી ગણતરી.
Published on: 01st June, 2026

ગુજરાત સહિત સમગ્ર દેશમાં 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. આઝાદી પછીની 8મી જનગણના આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. ખોટી વિગતો આપનાર સામે કાર્યવાહી થઈ શકે છે. નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. 1.10 લાખ કર્મચારીઓ આ ગણતરીમાં જોડાશે. પ્રથમ તબક્કામાં (1-30 જૂન, 2026) ‘ઘર-યાદી અને મકાનોની ગણતરી’ થશે, જેમાં 33 પ્રશ્નો પૂછાશે. બીજા તબક્કામાં (9-28 ફેબ્રુઆરી, 2027) મુખ્ય વસતી ગણતરી સાથે ‘જાતિ ગણતરી’ પણ થશે.