પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને બદલ્યું જીવન, ગોવિંદ જયસ્વાલ IAS બન્યા
પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને બદલ્યું જીવન, ગોવિંદ જયસ્વાલ IAS બન્યા
Published on: 01st June, 2026

ગરીબીમાં ઉછરીને પણ અશક્યને શક્ય બનાવનાર બનારસના રહેવાસી IAS ગોવિંદ જયસ્વાલની પ્રેરણાદાયી કહાણી. પિતા રિક્ષા ચલાવતા હતા અને માતાનું નાની ઉંમરે અવસાન થયું. ધોરણ 7માં અભ્યાસ કરતા હતા ત્યારે આઘાતજનક ઘટના બની. 11 વર્ષની ઉંમરે થયેલા અપમાનને કારણે તેમણે IAS બનવાનું લક્ષ્ય નક્કી કર્યું. પિતાએ જમીન વેચી દીધી અને દિલ્હી મોકલ્યા. પૈસા બચાવવા ટ્યુશન આપ્યું અને એક ટંકનું ભોજન છોડી અભ્યાસ કર્યો. પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષામાં 48મો રેન્ક મેળવી IAS બન્યા.