ચંદ્રની સ્થિતિ અને બિમારીઓ: શું ખરેખર સંબંધ છે?
ચંદ્રની સ્થિતિ અને બિમારીઓ: શું ખરેખર સંબંધ છે?
Published on: 19th August, 2026

લંડનમાં એક ઘડિયાળ ઉત્પાદકે ચંદ્રની સ્થિતિ દર્શાવતું પંચાંગવાળું ઘડિયાળ વેચાણ માટે બહાર પાડ્યું. જાહેરખબરમાં જણાવ્યું કે આ ઘડિયાળ શિકારી, ડૉક્ટરો અને દાણચોરો માટે ઉપયોગી છે. બ્રિટિશ મેડિકલ જર્નલના નિષ્ણાતોના મતે, ચંદ્રની સ્થિતિ ડૉક્ટરો, ખાસ કરીને સર્જનો માટે મહત્વની છે. સિઝોફેનિયાના દર્દીઓ પૂનમ દરમિયાન વધુ આક્રમક બને છે. ગર્ભવતી સ્ત્રીઓને પૂનમ નજીક હોય ત્યારે પ્રસવપીડા શરૂ થઈ શકે છે. લંડનની સેન્ટ મેરી હૉસ્પિટલના સર્જનોના અભ્યાસમાં વૃદ્ધોને પૂનમ આજુબાજુ પેશાબમાં તકલીફ થતી હોવાનું જણાયું.