પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મુકો છો?
પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મુકો છો?
Published on: 10th August, 2026

વરસાદમાં ભીના થયેલા સ્માર્ટફોનને ચોખાના ડબ્બામાં મૂકવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ નાની લાગતી ભૂલ ફોનની સ્ક્રીન, મધરબોર્ડ અને ચાર્જિંગ પોર્ટને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ફોન ભીનો થાય તો તાત્કાલિક તેને બંધ કરો અને પાણીમાંથી બહાર કાઢો. ફોનને હલાવશો નહીં, કવર અને સિમ ટ્રે દૂર કરો અને સૂકા કપડાથી સાફ કરો. ભીના ફોનને તાત્કાલિક ચાર્જ ન કરો. ચોખા કણો અને ધૂળ ફસાવી શકે છે, જ્યારે હેર ડ્રાયરની ગરમી નુકસાન કરી શકે છે. શ્રેષ્ઠ ઉપાય એ છે કે ફોનને રૂમ તાપમાને વેન્ટિલેટેડ જગ્યાએ રાખો.