ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ!
તાપી જિલ્લામાં સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. તાપી નદી પર બે તબક્કામાં બનેલી આ બહુહેતુક યોજના હેઠળ 1972માં ઉકાઈ બંધ પૂર્ણ થયું હતું અને 1973માં પાણી ભરવામાં આવ્યું. 7,497 મિલિયન ઘન મીટર સંગ્રહ શક્તિ ધરાવતા આ જળાશયથી 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે, જે ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાને સમૃદ્ધ બનાવે છે. આ યોજના વીજ ઉત્પાદન, પીવાનું પાણી અને ઔદ્યોગિક જરૂરિયાતો પણ પૂરી પાડે છે.
ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ!
અમદાવાદ ધોળકા કેનાલમાં 90 મીટરનું ભંગાણ
અમદાવાદ નજીક ધોળકા શાખા નહેરમાં 90 મીટર લાંબુ ભંગાણ પડતાં તંત્ર દોડતું થયું છે. ભારે વરસાદ બાદ આ ઘટનાએ વિકાસના સરકારી દાવાઓની પોલ ખોલી દીધી છે. ખેડૂતોમાં નહેરોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નહેરો થોડા વરસાદમાં જ તૂટી પડવી એ ઈજનેરી ધોરણો અને સામગ્રીની ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કરે છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ખરીફ સિઝનમાં સિંચાઈનું પાણી અટકી ન જાય.
અમદાવાદ ધોળકા કેનાલમાં 90 મીટરનું ભંગાણ
અમદાવાદમાં અકસ્માત સર્જી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ
અમદાવાદના કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી 2,39,000 રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગનો LCB ઝોન-3 પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટની રોકડ રકમ સહિત કુલ 3,05,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ જાણી જોઈને ફરિયાદીના વાહન સાથે ટક્કર મારી તેમને પાડી દીધા હતા અને ત્યારબાદ રોકડ ભરેલી થેલી ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમના સામે અગાઉ પણ ચોરી, મારામારી અને નકલી પોલીસ બની ગુના આચરવાના ગુના નોંધાયેલા છે.
અમદાવાદમાં અકસ્માત સર્જી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ
રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સમારોહ માટે ખાસ આમંત્રણ કિટ તૈયાર કરાઈ છે. અમદાવાદની National Institute of Design (NID)એ આ કિટમાં પોતાની કલાત્મક છાપ છોડી છે. NID અમદાવાદ દ્વારા ડિઝાઇન કરાયેલી આ કિટમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતા રજૂ કરાઈ છે. 100થી વધુ કારીગરો અને NID ટીમનો સંયુક્ત પ્રયાસ છે. આ કિટ માત્ર નિમંત્રણ પત્ર નથી, પરંતુ ભારતની વિવિધતા, કારીગરોની કુશળતા અને સ્થાનિક પરંપરાઓને બિરદાવતું સર્જન છે. આ વર્ષની ખાસ કિટમાં ચાર રાજ્યોની કળાને સ્થાન મળ્યું છે: છત્તીસગઢની ‘ડોકરા’ અને લોહ શિલ્પ, ગોવાના ‘અઝુલેજો’ ટાઇલ આર્ટ, મધ્ય પ્રદેશની ‘ભીલ કળા’ અને મહારાષ્ટ્રની ‘વારલી કળા’.
રાષ્ટ્રપતિ ભવનના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ કિટમાં 4 રાજ્યની પરંપરાગત કળા ઝળકી
ભારતીય વૈજ્ઞાનિક દીપક ધરને પ્રતિષ્ઠિત 'ડિરાક મેડલ' ૨૦૨૬ થી સન્માનિત
સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર (Theoretical Physics) અને આંકડાકીય મિકેનિક્સ (Statistical Mechanics) માં અગ્રણી ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર દીપક ધરને ૨૦૨૬ નો પ્રતિષ્ઠિત ‘ડિરાક મેડલ’ (Dirac Medal) એનાયત કરાયો છે. તેઓ સ્ટીફન હોકિંગ જેવા દિગ્ગજોની હરોળમાં સામેલ થયા છે. આ પુરસ્કાર ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા પોલ ડિરાકની યાદમાં ICTP દ્વારા અપાય છે, અને તે નોબેલ વિજેતા ન હોય તેવા વૈજ્ઞાનિકોને મળે છે. પ્રોફેસર ધરનું 'ધરનું બર્નિંગ અલ્ગોરિધમ' (Dhar's Burning Algorithm) જટિલ સિસ્ટમોના અભ્યાસમાં માઇલસ્ટોન છે.
ભારતીય વૈજ્ઞાનિક દીપક ધરને પ્રતિષ્ઠિત 'ડિરાક મેડલ' ૨૦૨૬ થી સન્માનિત
વડોદરાના નારેશ્વર મંદિર પાસે દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે દીપડાએ ગ્રામજનોમાં ભયની લાગણી જગાવી છે. કરજણ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો મંદિર પાસે આંટા ફેરા મારી રહ્યો છે. જોકે, દીપડાએ અત્યાર સુધી કોઈના પર હુમલો કર્યો નથી. ગઈકાલે રાત્રે ફરીથી મંદિર નજીક દીપડો દેખાતા એક ગ્રામજને તેનો વિડીયો ઉતાર્યો હતો. રસ્તા પાસે બેઠેલો દીપડો ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો હતો. ગ્રામજનોને સતર્ક રહેવા અને ફોરેસ્ટ વિભાગને કાર્યવાહી કરવા માટે કહેવાયું છે.
વડોદરાના નારેશ્વર મંદિર પાસે દીપડાના દેખા દેવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
સુરતના જહાંગીરપુરાના ગટર સમસ્યા મુદ્દે 10 હજાર લોકો પાલિકા કચેરી સામે ધરણા કરશે
સુરતના જહાંગીરપુરાના સાંસ્કૃતિક આવાસમાં ગટરની ગંભીર સમસ્યા છેલ્લા દોઢ વર્ષથી યથાવત છે, જેના કારણે 10 હજારથી વધુ લોકો દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર છે. ગટરનું ગંદુ પાણી પીવાના બોરિંગ પાણીમાં ભળી જતાં સ્વાસ્થ્ય જોખમાયું છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન મળતાં રહીશોનો ધીરજ ખૂટી પડ્યો છે. એક અઠવાડિયામાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી આપી છે.
સુરતના જહાંગીરપુરાના ગટર સમસ્યા મુદ્દે 10 હજાર લોકો પાલિકા કચેરી સામે ધરણા કરશે
ભગવાન શિવના 5 રહસ્યમયી મંદિરો: જ્યાંના કોયડા વિજ્ઞાનીઓ પણ ઉકેલી શક્યા નથી
ભારતમાં ભગવાન શિવના અનેક મંદિરો છે, પરંતુ આજે અમે તમને 5 એવા રહસ્યમયી મંદિરો વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. ગુજરાતમાં સમુદ્રમાં ડૂબી જતું સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને નિષ્કલંક મહાદેવ મંદિર, રાજસ્થાનમાં રંગ બદલતું અચલેશ્વર મહાદેવ મંદિર, જ્યાં શિવલિંગની ઊંડાઈ અજ્ઞાત છે, લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર જ્યાં શિવલિંગમાં પાતાલગામી છિદ્ર છે, અને હિમાચલ પ્રદેશમાં બિજલી મહાદેવ મંદિર જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે. આ મંદિરોની અનોખી માન્યતાઓ અને રહસ્યો ભક્તોને આકર્ષે છે.
ભગવાન શિવના 5 રહસ્યમયી મંદિરો: જ્યાંના કોયડા વિજ્ઞાનીઓ પણ ઉકેલી શક્યા નથી
સુરતમાં પૂરથી વારંવાર જળબંબાકાર સર્જાતા વોર્ડ નં.18ના કોર્પોરેટરોની કમિશનર સમક્ષ રજૂઆત
સુરતમાં મીઠી ખાડીનું પૂર હવે કાયમી આફત બન્યું છે, જેના પગલે વોર્ડ નં. 18ના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગરોડ સુધી કન્ફાઈનિંગ વોલનું નિર્માણ, પમ્પિંગ સ્ટેશનનો વિકાસ, અને ખાડીની બોર્ડર લાઈન નિર્ધારિત કરી 9 મીટર સેટબેક સુનિશ્ચિત કરવાની માગણી કરાઈ છે. કોર્પોરેટરોએ જણાવ્યું કે, એકલદોકલ પગલાંના બદલે 'મીઠી ખાડી ઈન્ટિગ્રેટેડ ફ્લડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન' તૈયાર કરી તેનો અમલ થવો જોઈએ, જેમાં કન્ફાઈનિંગ વોલ, ફ્લડ ગેટ, ડી-સિલ્ટિંગ, અને અતિક્રમણ નિયંત્રણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય.
સુરતમાં પૂરથી વારંવાર જળબંબાકાર સર્જાતા વોર્ડ નં.18ના કોર્પોરેટરોની કમિશનર સમક્ષ રજૂઆત
વડોદરા રાણા ક્રેડિટ સોસાયટી પ્રમુખ પર જૂની અદાવતે હુમલો
વડોદરા શહેરની રાણા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના મુદ્દે જૂની અદાવત રાખી, ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશ રાણાએ મંડળીના પ્રમુખ જીતુભાઈ રાણા પર પથ્થરો મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલામાં પ્રમુખ જીતુભાઈ રાણાને સામાન્ય ઈજા પહોંચતા મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા રાણા ક્રેડિટ સોસાયટી પ્રમુખ પર જૂની અદાવતે હુમલો
વડોદરા કોર્પોરેશનની મુલાકાતે ચાઇનાનું પ્રતિનિધિમંડળ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લેવા આવેલા ચીનના પ્રતિનિધિમંડળે ભારત સાથેના આર્થિક અને વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા ઇકોનોમિક ટ્રેડ વધારવા પર ભાર મૂક્યો. આ મુલાકાતમાં કૈલાસ માનસરોવર યાત્રા અને ચીનની મુલાકાત માટે આમંત્રણ અપાયું. વડોદરાના નવરાત્રી મહોત્સવમાં પણ ચીની પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું. મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
વડોદરા કોર્પોરેશનની મુલાકાતે ચાઇનાનું પ્રતિનિધિમંડળ
વડોદરાના દશરથ ખાતે બંધ ફ્લેટમાંથી ચોરો 15 લાખની મતા ચોરી ફરાર
વડોદરાના છાણીના દશરથ વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 15 લાખથી વધુની મતા ચોરી થયાનો બનાવ બન્યો છે. સુનિલભાઈ પટેલે પોલીસને જણાવ્યું કે તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે ફ્લેટના તાળા તૂટેલા અને તિજોરી ખાલી મળી આવી હતી. ચોરો અંદાજે 12 તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને અઢી લાખ રોકડા લઈ ગયા હતા. છાણી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
વડોદરાના દશરથ ખાતે બંધ ફ્લેટમાંથી ચોરો 15 લાખની મતા ચોરી ફરાર
વડોદરા શહેરના વડીવાડી ગામમાં ભુવો પડતાં કન્સ્ટ્રક્શન ટ્રક ફસાયો
વડોદરા શહેરના વોર્ડ નંબર-8માં આવેલા વડીવાડી ગામ ખાતે મુખ્ય માર્ગ પર કન્સ્ટ્રક્શન સામાન ભરેલો આઇસર ટ્રક અચાનક ફસાઈ ગયો. રસ્તામાં ભુવો પડતાં આઇસરનું પાછળનું ટાયર જમીનમાં ખૂપી ગયું, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, ટ્રકમાં વધુ વજન ન હોવા છતાં રસ્તો ધસી જતાં ટાયર ખૂપી ગયું. ઘટનાસ્થળે ટ્રેક્ટર અને ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. શહેરમાં રસ્તાઓની ગુણવત્તા સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે.
વડોદરા શહેરના વડીવાડી ગામમાં ભુવો પડતાં કન્સ્ટ્રક્શન ટ્રક ફસાયો
ભારતમાં કિંગફિશરની 12 પ્રજાતિઓ!
ભારતમાં કિંગફિશર માત્ર ચમકદાર વાદળી પક્ષી નથી. તેની 12 પ્રજાતિઓ વિવિધ વાતાવરણમાં જોવા મળે છે – ખેતરો, ગાઢ જંગલો, પર્વતીય નદીઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં. કેટલાક માછલી પકડે છે, જ્યારે અન્ય દેડકા, ગરોળી અને જીવાતો ખાય છે. તેમની ચાંચ, રંગ, શિકારની રીત અને રહેઠાણ તેમને અલગ પાડે છે. વ્હાઇટ-થ્રોટેડ, કોમન, પાઈડ, સ્ટોર્ક-બિલ્ડ, ઓરિએન્ટલ ડ્વાર્ફ, બ્લુ-ઈયર્ડ, બ્લાયથ્સ, ક્રેસ્ટેડ, બ્લેક-કેપ્ડ, બ્રાઉન-વિંગ્ડ, કોલર્ડ અને રડ્ડી કિંગફિશર ભારતના કુદરતી વૈવિધ્યનું સુંદર દર્શન કરાવે છે.
ભારતમાં કિંગફિશરની 12 પ્રજાતિઓ!
વડોદરાના સમા-હરણી લિંક રોડ પર ત્રણ દિવસથી સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો
વડોદરા શહેરના સમા-હરણી લિંક રોડ પર સિગ્નસ શાળા પાસે છેલ્લા ત્રણ દિવસથી સિમેન્ટની બોરીઓ ભરેલો એક ટ્રક રસ્તા પર ફસાઈ ગયો છે. માર્ગ ઘસી જવાને કારણે ટ્રકના ટાયર જમીનમાં ખૂંપી ગયા છે, જેના લીધે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ટ્રકને બહાર કાઢવા માટે સિમેન્ટની બોરીઓ ખાલી કરવી પડશે, જેના માટે જરૂરી ટ્રેક્ટર અને મજૂરો ઉપલબ્ધ નથી. સિમેન્ટ મંગાવનાર બિલ્ડર દ્વારા પણ અસરકારક કાર્યવાહી થઈ નથી. આ પરિસ્થિતિમાં, સામાજિક કાર્યકરો ટ્રાફિક તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
વડોદરાના સમા-હરણી લિંક રોડ પર ત્રણ દિવસથી સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો
જામનગર શહેરમાં હવામાનમાં પલટો, એક સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો
જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી રાહ જોવાઈ રહેલા વરસાદ બાદ આજે અચાનક હવામાન પલટાયું. સવારે વાદળો છવાયા બાદ વરસાદના છાંટા શરૂ થતાં શહેરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગે 11થી 13 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે, જેની એક દિવસ પહેલાં જ વાતાવરણમાં આવેલા ફેરફારે મેઘમહેરની આશા જગાવી છે. શહેરીજનો અને ખેડૂતો, ખાસ કરીને ખેતી માટે, આગામી દિવસોમાં સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જામનગર શહેરમાં હવામાનમાં પલટો, એક સપ્તાહના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો
જોડિયા લખતર ગામ પાસે જુગારધામ પર રાજકોટ ક્રાઈમ ટીમનો દરોડો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમે ગત મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.10.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળેલ બાતમીના આધારે વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રોકડા રૂ.3,35,900, ત્રણ મોટરસાયકલ, એક ઇકો કાર તથા આઠ મોબાઈલ ફોન મળી કુલ રૂ.10,25,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોડિયા લખતર ગામ પાસે જુગારધામ પર રાજકોટ ક્રાઈમ ટીમનો દરોડો
જામનગરની પરિણીત શિક્ષિકાએ પતિ અને સાસરિયાં સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
જામનગરની એક 35 વર્ષીય સરકારી શિક્ષિકાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદથી જ ઘરકામ અને અન્ય નાની બાબતોમાં ઝઘડા, અપમાન અને શંકા-કુશંકાનો સિલસિલો ચાલતો રહ્યો. ગર્ભાવસ્થા અને ગર્ભપાત દરમિયાન પણ યોગ્ય કાળજી ન મળ્યાનો આક્ષેપ છે. ઘણા પ્રયાસો બાદ પણ સમાધાન ન થતાં, આખરે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો, જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
જામનગરની પરિણીત શિક્ષિકાએ પતિ અને સાસરિયાં સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
જામનગરમાં મિત્રએ જ મિત્ર પર પાઇપ અને છરીથી કર્યો હુમલો
જામનગરમાં મિત્રની પત્નીએ પોતાના પતિના નશાખોરી અંગે પૂછપરછ કરતા તેની જાણ મિત્રને કરી હતી. આ બાબત મિત્ર સોહીલને પસંદ ન આવતા તેણે મિત્ર રીજવાનખાન પર પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો. રીજવાનખાનને જમણા પડખામાં ચાર ટાંકા આવ્યા હતા અને શરીરે મુંઢ ઇજાઓ પણ થઈ હતી. સોહીલે ‘તું મારા ઘરમાં શું કામ દખલગીરી કરે છે? હવે પછી આમ કરીશ તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં મિત્રએ જ મિત્ર પર પાઇપ અને છરીથી કર્યો હુમલો
છોટા ઉદેપુર કલેક્ટરની સરકારી કારને દેવલીયા નજીક નડ્યો અકસ્માત
છોટા ઉદેપુરથી બોડેલી તરફ જઈ રહેલાં કલેક્ટર ગાર્ગી જૈનની સરકારી ગાડીને દેવલીયા ગામ પાસે એક અકસ્માત નડ્યો. સામેથી પૂરઝડપે આવતી અન્ય એક કારે કલેક્ટરની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ થયો, જ્યારે તેમના ડ્રાઇવરને ઈજાઓ પહોંચી છે. બોડેલી ખાતે સરકારી કાર્યક્રમમાં જતી વખતે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુર કલેક્ટરની સરકારી કારને દેવલીયા નજીક નડ્યો અકસ્માત
જામનગરના મહાવીરનગરમાં 5 નશાખોરો વૃંદાવન રેસીડેન્સી પાર્કિંગમાં ઝડપાયા
જામનગરના મહાવીરનગર વિસ્તારમાં વૃંદાવન રેસીડેન્સીના પાર્કિંગમાં 5 શખ્સો દારૂના નશામાં ધમાલ કરતા ઝડપાયા. 112 જનરક્ષક ટીમે સ્થળ પર પહોંચી પાંચેયને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં પાંચેય શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાયું હતું અને તેમની પાસે દારૂ પીવાની કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવતાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ધીરેનભાઈ વિનોદભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના મહાવીરનગરમાં 5 નશાખોરો વૃંદાવન રેસીડેન્સી પાર્કિંગમાં ઝડપાયા
જામનગરમાં નશામાં કાકા-ભત્રીજી અને પિતા-પુત્ર વચ્ચે ધમાલ
જામનગર શહેરમાં દારૂના નશામાં પરિવારજનો સાથે ઝઘડો કરનાર કાકા અને પુત્ર એમ બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે. ગુલાબનગરમાં એક કાકાએ ભત્રીજી સહિત પરિવારજનો સાથે બોલાચાલી અને ગાળાગાળી કરતાં ભત્રીજીએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પીપરફળી વિસ્તારમાં પુત્રએ નશાની હાલતમાં પિતા અને પત્નીને ગાળો આપી તોફાન મચાવતાં પિતાએ પોલીસને બોલાવી હતી. બંને કિસ્સામાં પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જામનગરમાં નશામાં કાકા-ભત્રીજી અને પિતા-પુત્ર વચ્ચે ધમાલ
જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન
જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા આધેડને પુરઝડપે આવેલી મોટરસાયકલે અડફેટે લેતા ગંભીર ઇજાઓ બાદ તેમનું કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મૃતકના પુત્રએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અમદાવાદના વિજયભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.46) મોટી ખાવડીમાં નોકરી કરતા હતા. આ અંગે પોલીસે મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન
12 હજાર જીલેટીન સ્ટિક, 4 હજાર ડીટોનેટર, બ્લાસ્ટીંગ કેબલ જપ્ત: દોલા મીરની ધરપકડ
રાજકોટ નજીક કોઠારીયા સોલવન્ટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. બોલરો પીકઅપમાંથી 12 હજાર જીલેટીન સ્ટિક, 4 હજાર ડીટોનેટર, અને 30 બંડલ બ્લાસ્ટીંગ કેબલ સાથે ચાલક દોલા મીરની ધરપકડ કરાઈ. તપાસમાં આ વિસ્ફોટકો માણાવદરના મિતુલે મોકલેલા અને થાનગઢના હીરા અલગોતર દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે સપ્લાયર અને રિસીવર બંનેને શોધવા માટે તપાસ શરૂ કરી છે. આ સફળતા ક્રાઇમ બ્રાન્ચના PI એ.એસ.ચાવડાની ટીમને મળી છે.
12 હજાર જીલેટીન સ્ટિક, 4 હજાર ડીટોનેટર, બ્લાસ્ટીંગ કેબલ જપ્ત: દોલા મીરની ધરપકડ
રાજકોટના અણિયારા ગામમાં ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ પર દરોડો
રાજકોટ શહેર SOG ટીમે અણિયારા ગામે ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ પેઢી પર દરોડો પાડી 550 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂ.1.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પર જ નાશ કરાયો. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ એફએસએલને મોકલ્યા. રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આવા અખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમીના આધારે થઈ.
રાજકોટના અણિયારા ગામમાં ગોવાલિયા ફૂડ પ્રોડક્ટ પર દરોડો
તાંબાના વાસણનું પાણી: ફાયદાકારક કે માત્ર માન્યતા?
ભારતીય ઘરોમાં તાંબાના વાસણમાં પાણી ભરવાની પરંપરા જૂની છે, જેને 'તામ્ર જળ' કહેવાય છે. આયુર્વેદ મુજબ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તાજેતરમાં, તાંબાની બોટલ ઈમ્યુનિટી વધારવા અને ડિટોક્સ માટે વેલનેસ ટ્રેન્ડ બની છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, તાંબું શરીર માટે જરૂરી ટ્રેસ મિનરલ છે જે લાલ રક્તકણોના નિર્માણ અને ઊર્જા ઉત્પાદનમાં મદદ કરે છે. તાંબાના પાણીનો સૌથી સાબિત થયેલો ફાયદો તેના એન્ટિમાઇક્રોબિયલ ગુણધર્મો છે, જે હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને મારી શકે છે. જોકે, પાચન, ઈમ્યુનિટી વધારવા કે ડિટોક્સ જેવા દાવાઓ માટે મજબૂત માનવ આધારિત પુરાવા નથી. તાંબાના વાસણમાં ફક્ત સાદું પાણી જ રાખવું જોઈએ, એસિડિક પ્રવાહી ટાળવું જોઈએ.
તાંબાના વાસણનું પાણી: ફાયદાકારક કે માત્ર માન્યતા?
દ્વારકા જિલ્લા સેવા સદનમાં 'કલરવ' ઘોડિયાઘરનો પ્રારંભ
દ્વારકા જિલ્લા સેવા સદનમાં અધિકારીઓ અને કર્મચારીઓના નાના બાળકો માટે 'કલરવ' નામનું અદ્યતન ઘોડિયાઘર શરૂ કરાયું છે. આ પરિવારમૈત્રી પહેલનો ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમના બાળકોની ચિંતા વિના એકાગ્રતાથી ફરજ બજાવવામાં મદદ કરવાનો છે. રંગબેરંગી ચિત્રો, ઘોડિયાં અને રમકડાંથી સજ્જ આ સુવિધા બાળકોને સુરક્ષિત અને આનંદમય વાતાવરણ પૂરું પાડશે. આ પહેલથી ખાસ કરીને મહિલા કર્મચારીઓને મોટી રાહત મળશે, જેઓ કાર્ય અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી શકશે.
દ્વારકા જિલ્લા સેવા સદનમાં 'કલરવ' ઘોડિયાઘરનો પ્રારંભ
જામનગર જિલ્લામાં જુગારના દરોડા!
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે સઘન કાર્યવાહી કરી ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 19 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે બે શખ્સો ફરાર છે. પોલીસે જુદા જુદા સ્થળોએથી કુલ રૂ. 11,65,580 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ગુલાબનગર, મસીતીયા ગામ અને ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં જુદા જુદા પ્રકારના જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં જુગારના દરોડા!
જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં ડ્રિલ મશીનથી વીજ શોક લાગતાં 22 વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ.
જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં 22 વર્ષીય યુવાન કૌશલ રવજીભાઈ ઢાપાનું વીજ શોક લાગવાથી દુઃખદ અવસાન થયું. તેઓ ઘરે નાળિયેરની રેકડીમાં ડ્રિલ મશીનથી હોલ પાડી રહ્યા હતા. અચાનક વીજ શોક લાગતાં તેઓ નીચે પટકાયા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃત્યુ પામ્યા હતા. મૃતકના પિતાએ પોલીસમાં જાણ કરતાં સીટી-એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના ચુનાના ભઠા વિસ્તારમાં ડ્રિલ મશીનથી વીજ શોક લાગતાં 22 વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ.
જામનગર-કાલાવડ રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવાનનું કરુણ મોત
જામનગર નજીક કાલાવડ રોડ પર પુરઝડપે અને બેફિકરાઇથી ચાલતી એક અજાણ્યા વાહને મોટરસાઇકલને ટક્કર મારતાં 32 વર્ષીય લક્ષ્મણભાઇ ચૌહાણ નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. સસરાની તબિયત જોવા જઈ રહેલા લક્ષ્મણભાઇને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો ચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તેમને સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા. મૃતકના પિતાએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ રાજકોટ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર યુવાનનું કરુણ મોત
જામનગર હાપા યાર્ડ પાસે ઓવરબ્રિજ સર્વિસ રોડની નબળી કામગીરી
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બનેલા ઓવરબ્રિજના સર્વિસ રોડની નબળી કામગીરી અને હલકી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદને કારણે સર્વિસ રોડ પર કીચડ ફેલાઈ જતાં અવરજવર મુશ્કેલ બની છે. રાહદારીઓએ કામગીરીમાં કથિત ભ્રષ્ટાચાર અને રોડની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે તંત્રને તાત્કાલિક સ્થળ તપાસ કરી સુધારાત્મક પગલાં લેવા માંગ કરી છે, નહીંતર ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.