વિમાન ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે બારીના શટર ખોલવાના કારણો
વિમાન ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે બારીના શટર ખોલવાના કારણો
Published on: 29th August, 2026

જ્યારે પણ આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે લેન્ડિંગ અને ટેક-ઓફ કરતી વખતે એર હોસ્ટેસ દરેક મુસાફરને બારીના શટર ખોલી દેવાની સૂચના આપે છે. આ નિયમ પાછળ હવાઈ સુરક્ષાનાં મહત્ત્વપૂર્ણ કારણો છે. આ સમયગાળો `ક્રિટિકલ ફેઝ' ગણાય છે, જ્યાં મોટાભાગના અકસ્માતો બને છે. બારીઓ ખુલ્લી રાખવાથી પરિસ્થિતિજન્ય જાગૃતિ વધે છે, આંખો પ્રકાશ સાથે અનુકૂલન સાધી શકે છે, જેથી ઈમરજન્સી સમયે ઝડપથી બહાર નીકળી શકાય. રેસ્ક્યૂ ટીમ માટે પણ આ સુવિધાજનક છે.