SBIના ખાતાધારકો માટે બદલાશે ટ્રાન્ઝેક્શન ચાર્જ!
SBIના ખાતાધારકો માટે બદલાશે ટ્રાન્ઝેક્શન ચાર્જ!
Published on: 26th August, 2026

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે 1 ઓક્ટોબરથી મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે. SBI દ્વારા BSBD એકાઉન્ટ માટે ATM અને બેંક બ્રાન્ચમાંથી થતા રોકડ ઉપાડ તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ચાર્જના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે મહિનાના 4 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ કોઈપણ વ્યવહાર પર 15 રૂપિયા વત્તા GST ચાર્જ લાગશે. અગાઉ ડિજિટલ ટ્રાન્ઝેક્શન આ મર્યાદામાં ગણાતા નહોતા, પરંતુ હવે તે પણ 4 ફ્રી લિમિટમાં સામેલ થશે.