કરોડો નોકરિયાતોને EPF વ્યાજ દર 8.25% મળ્યો, આ મહિને જમા થશે
કરોડો નોકરિયાતોને EPF વ્યાજ દર 8.25% મળ્યો, આ મહિને જમા થશે
Published on: 18th June, 2026

નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજદરને સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ આદેશ બાદ, દેશના 7 કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં ચાલુ મહિનામાં જ વ્યાજની રકમ જમા થવાની શક્યતા છે. EPFO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપ્યા બાદ જ ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ થાય છે. નાણાં મંત્રાલયે 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' (CBT) ની ભલામણ સ્વીકારી છે.