શરદ પવારની NCP(SP)ને કોંગ્રેસમાં વિલીનની ઓફર, 3 ધારાસભ્યો ભાજપ તરફ
શરદ પવારની NCP(SP)ને કોંગ્રેસમાં વિલીનની ઓફર, 3 ધારાસભ્યો ભાજપ તરફ
Published on: 11th June, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને NCP બાદ હવે શરદ પવારની NCP(SP)માં મોટી ઉથલપાથલના સંકેતો છે. સૂત્રોના મતે, કોંગ્રેસ હાઈકમાન્ડે NCP(SP)ને પાર્ટીમાં વિલીન થવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પહેલાં સંજય રાઉતે પણ TMC અને NCPને કોંગ્રેસમાં જોડાવવાની સલાહ આપી હતી. બીજી તરફ, NCP(SP)ના ત્રણ ધારાસભ્યો, જેઓ સોલાપુર બેઠક પર ઉમેદવારના નિર્ણયથી નારાજ છે, તેઓએ ભાજપના રાજ્ય અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો છે, જે NCP(SP) માટે મોટો રાજકીય ઝટકો બની શકે છે.