દા.ન.હવેલીમાં મતદાર યાદીમાંથી 29% મતદારોના નામ કમી
દા.ન.હવેલીમાં મતદાર યાદીમાંથી 29% મતદારોના નામ કમી
Published on: 05th August, 2026

દાદરા નગરહવેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ SIR મુજબ, દાદરા અને નગરહવેલીમાં મતદારયાદી સુધારણા દરમિયાન અંદાજે 29% એટલે કે 85,674 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આ ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ, અન્યત્ર નોંધણી અને ફોર્મ ન મળવા જેવા વિવિધ કારણોસર થયું છે. ચૂંટણીપંચ મતદારયાદીને વધુ ચોકસાઈભરી બનાવવા આ કામગીરી કરી રહ્યું છે. 2,91,672 મતદારોમાંથી 2,05,998 ફોર્મ્સ ડિજિટાઈઝ થયા છે, જ્યારે 85,674 ફોર્મ્સ હજુ પ્રાપ્ત થયા નથી. આ પ્રક્રિયામાં નવા નામો માટે માત્ર 609 અરજીઓ આવી છે.