વાહનોનું માઇલેજ ઘટવા છતાં કેમ જરૂરી છે ઇથેનોલ?
વાહનોનું માઇલેજ ઘટવા છતાં કેમ જરૂરી છે ઇથેનોલ?
Published on: 14th July, 2026

E20 પેટ્રોલથી માઇલેજ અને એન્જિનને નુકસાન થવાના દાવા વચ્ચે સરકારે આ નીતિનો મક્કમ બચાવ કર્યો છે. સરકાર અનુસાર, E20 છોડીને E10 પર પાછા ફરવાથી દેશનું ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ જોખમમાં મુકાઈ શકે છે. આ નીતિથી ₹1.90 લાખ કરોડની વિદેશી હૂંડિયામણની બચત થાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. ટૂંકા ગાળાના માઇલેજ ઘટાડા છતાં, લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા, દેશની આર્થિક પ્રગતિ અને રોકાણોના રક્ષણ માટે સરકાર આ નીતિ ચાલુ રાખવા કટિબદ્ધ છે.