ગાંધીનગરમાં વહીવટી પ્રશ્નો મુદ્દે 700થી વધુ વકીલોના ધરણાં
ગાંધીનગરમાં વહીવટી પ્રશ્નો મુદ્દે 700થી વધુ વકીલોના ધરણાં
Published on: 12th June, 2026

ગાંધીનગર જિલ્લા કોર્ટમાં વહીવટી પ્રશ્નો અને ડિસ્ટ્રિક્ટ જજની કાર્યપદ્ધતિ સામે 700થી વધુ વકીલો છેલ્લા ચાર દિવસથી ધરણાં પર છે. વકીલોનો આરોપ છે કે, વહીવટી કડકાઈ અને હિંદી ભાષાના આગ્રહથી કામગીરીમાં મુશ્કેલી પડે છે. નવી બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થાની અછત પણ વિરોધનું મુખ્ય કારણ છે. આ હડતાળના કારણે પક્ષકારોને ન્યાયિક પ્રક્રિયા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને કોર્ટ સંકુલમાં કામગીરી ખોરવાઈ ગઈ છે. જ્યાં સુધી માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે.