પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
આમ આદમી પાર્ટી (AAP)માં મોટા ભંગાણ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે 'ટર્બનેટર' ટૂંક સમયમાં જ AAPને અલવિદા કહીને કેસરીયો ધારણ કરી શકે છે. હરભજન સિંહના અંગત સચિવ (PA) મનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરતા તેમની સંપૂર્ણ પોલીસ સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર તહેનાત અંદાજે 9 થી 10 જવાનોનો પહેરો હટાવી દેવામાં આવ્યા છે.
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 57 ટકા વોટિંગ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે(26 એપ્રિલ) મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું છે. ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 57 ટકા વોટિંગ
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાન-અમેરિકા વચ્ચેના સંબંધો અંગે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં સફળ થાય તો પણ ભારતનું કદ નાનું નહીં થાય. વાસ્તવમાં કોંગ્રેસ પાકિસ્તાનની મધ્યસ્થતા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહે છે અને મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવતી રહે છે.
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
વડોદરામાં લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું
લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા બાદ તરત જ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળેલા એક વરરાજાએ મતદાર યાદીની ક્ષતિને કારણે નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે. ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલના આજે નિશાલી બહાદુર્ગે સાથે લગ્ન હતા. મંગળફેરા અને લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, નવા જીવનની શરૂઆત કરતા પહેલા આ નવદંપતીએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. લગ્નનો ભવ્ય પોશાક અને શણગાર સજેલી હાલતમાં જ પાર્થ અને નિશાલી ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા.
વડોદરામાં લગ્નના જોડામાં વોટ આપવા પહોંચેલા વરરાજા નિરાશ, યાદીમાંથી નામ ગાયબ હોવાથી પરત ફરવું પડ્યું
અગનભઠ્ઠીમાં શેકાતું ભારત!
વિશ્વના 'ટોપ 100' સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતનો અગ્રેસર 25 એપ્રિલના હવામાન ડેટા મુજબ વૈશ્વિક સ્તરે સૌથી વધુ તાપમાન ધરાવતા 100 શહેરોમાંથી 99 શહેરો ભારતના છે. ટોપના 25 સૌથી ગરમ શહેરોમાંથી 24 તો એકલા ઉત્તર પ્રદેશમાં છે, જ્યારે બાકીનું એક ઉત્તરાખંડમાં છે. એટલે કે, ઉત્તર ભારતના મેદાનો ગ્લોબલ વોર્મિંગનું કેન્દ્રસ્થાન બની ગયા છે. ટોપ 50 ગરમ શહેરોની વાત કરીએ તો આ યાદીમાં એકલા ઉત્તર પ્રદેશના જ 32 શહેર છે, જ્યારે બિહારના 9, ઉત્તરાખંડના 3, મહારાષ્ટ્રના 2 તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને નેપાળના 1-1 શહેર છે.
અગનભઠ્ઠીમાં શેકાતું ભારત!
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે. PTIના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાંક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે.
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે.
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન
ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયનું રવિવારે નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણકારી પરિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આપી છે. રઘુ રાયના નિધનથી ભારતીય પત્રકારત્વ અને કળા જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. રઘુ રાયની કારકિર્દીની સૌથી ચર્ચિત અને હૃદયદ્રાવક તસવીર 1984ના ભોપાલ ગેસકાંડની હતી. ગેસ ગળતર બાદ એક માસૂમ બાળકની નિર્જીવ આંખોવાળી તેમની તસ્વીરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાત્ર એક ફોટો નહીં, પણ કોર્પોરેટ બેદરકારી સામે વૈશ્વિક સ્તરે ઉઠેલો અવાજ બની ગઈ હતી.
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે સુરક્ષા દળોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. CM મમતા બેનર્જી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભાજપ પર તેમની સભામાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં બનેલી તાજેતરની સુરક્ષા ઘટના બાદ એ જાણીને રાહત થઈ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારની અટકાયત, મનપામાં મતદાનની ટકાવારીના આંકડા સામે આવ્યા
આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. અમદાવાદની જેમ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં ભુજ શહેરના મતદારોએ બુથ શોધવા ફાંફા મારવા પડી ગયા હતા. સ્પષ્ટ માહિતીના અભાવે આવી હાલત થઈ હતી. યાદીમાં નામ હોવા છતાં મતદાન મથકની યોગ્ય વિગતો ન હોવાથી મતદારોમાં રોષ દેખાયો.
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારની અટકાયત, મનપામાં મતદાનની ટકાવારીના આંકડા સામે આવ્યા
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
એમેચ્યોર રેડીયો સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત હિલટોપ કોન્ટેસ્ટમાં દેશભરની 42 ટીમોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ઇન્સ્ટિટયૂટ ઓફ એમેચ્યોર રેડીયો ની ટીમે ભાગ લઈને પ્રથમ સ્થાન મેળવ્યું. સ્પર્ધા અંતર્ગત ટીમોએ પોતાના રાજ્યમાં આવેલા પર્વતો અથવા ઊંચી ટેકરીઓ પર હેમ સ્ટેશન સ્થાપિત કરીને એકબીજા સાથે સંપર્ક સાધ્યો. ગુજરાતની ટીમે પાલીતાણા કદમ્બગિરી કમળાઈ માતા મંદિર નજીક હેમ સ્ટેશન સ્થાપિત કર્યું હતું. ટીમનું નેતૃત્વ રૂચિર પુરોહિત દ્વારા કરાયું હતું. સાથે જ ડો. જગદીશ પંડ્યા અને પ્રવીણ વલેરાએ માર્ગદર્શન આપ્યું.
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
લોકલ બોડી ઇલેક્શન ૨૦૨૬: સાબરકાંઠા અને અરવલ્લીમાં વર અને કન્યાએ લગ્ન પહેલા મતદાન કર્યું.
ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શન વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લીમાં વર અને કન્યાએ લગ્ન પહેલા મતદાન કર્યું. લગ્ન પહેલા જ મતાધિકારનો ઉપયોગ કર્યો. મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારે મતદાન કર્યું. EVM મશીન ખોટકાયું. Gujarat Local body election 2026 માં રાજકોટ અને વડોદરામાં પણ મતદાન થયું. બંને દંપતિએ અન્ય મતદારોને મત આપવા અપીલ કરી હતી.
લોકલ બોડી ઇલેક્શન ૨૦૨૬: સાબરકાંઠા અને અરવલ્લીમાં વર અને કન્યાએ લગ્ન પહેલા મતદાન કર્યું.
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
દુનિયાભરમાં દર 24 કલાકે 89 નવા લોકો સુપર-રિચ ક્લબમાં સામેલ થઈ રહ્યા છે, જેમની સંપત્તિ 3 કરોડ ડોલરથી વધુ છે. ભારતમાં શ્રીમંતોની સંખ્યા 2021માં લગભગ 12,000 થી વધીને 2026માં 19,877 થઈ ગઈ, જે 63% નો વધારો છે. અંદાજ છે કે 2031 સુધીમાં દેશમાં અબજોપતિઓ 51% વધીને 313 થઈ જશે. ગ્લોબલ અલ્ટ્રા-વેલ્થમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2.8% છે, પણ તે સતત વધી રહ્યો છે.
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
ગરમીથી બચવા મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો પર, ઉત્સાહભેર મતદાન.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આકરી ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાપમાન વધે તે પહેલાં વહેલી સવારથી જ લોકો મતદાન મથકો પર ઉમટી પડ્યા છે. ચૂંટણી પંચ દ્વારા 'હીટ-સેફ' વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઠંડા પાણી, ORS અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગરમીથી બચવા મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો પર, ઉત્સાહભેર મતદાન.
ભાવનગરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ.
ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકાની 52, જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 206 બેઠકો અને મહુવા, પાલિતાણા, વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો. 1984 મતદાન મથકો પર 10,742 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. 4400 B.U. અને 3735 C.U. નો ઉપયોગ થશે. 4,58,376 મહાનગરપાલિકાના, 1,32,499 નગરપાલિકાના અને 11,40,384 જિલ્લા/તાલુકા પંચાયતના મતદારો મતદાન કરશે. ઉનાળાને ધ્યાનમાં રાખી પીવાના પાણી અને છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ માટે વ્હીલચેરની વ્યવસ્થા છે.
ભાવનગરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ અને વડોદરામાં EVM મશીનમાં ખામી સર્જાઈ. ગરમીથી બચવા વહેલી સવારથી લોકો લાઇનમાં હતા, ત્યારે EVM ખોટકાતા તાત્કાલિક વ્યવસ્થા કરાઈ. રાજકોટમાં મોક પોલ વખતે અને વડોદરામાં મતદાન શરૂ થયાના અડધા કલાકમાં EVM ઠપ્પ થયું. અધિકારીઓએ તાત્કાલિક મશીન બદલીને મતદાન ફરી શરૂ કરાવ્યું.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬: રાજકોટ અને વડોદરામાં EVM મશીન ખોટકાયું.
કેશોદમાં મતદાન પહેલા ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લો.
Gujarat Local body election 2026 દરમિયાન કેશોદમાં ભાજપનો આંતરિક જૂથવાદ હિંસક બન્યો. વોર્ડ નંબર 9માં જૂથો વચ્ચે મારામારી થઈ, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા. જૂની દુશ્મનીના કારણે આ ઘટના બની. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી, અને મતદાન શાંતિપૂર્ણ ચાલુ રહ્યું.
કેશોદમાં મતદાન પહેલા ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લો.
ગોધરામાં આગ અને EVM ખોટકાયા.
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: જિ.પંચાયત, 9 તા.પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે મતદાનનો આરંભ.
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થઈ છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં યુવાનો અને વૃદ્ધો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. BJP, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. District Collector એ મતદાન કરવા અપીલ કરી છે.
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: જિ.પંચાયત, 9 તા.પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે મતદાનનો આરંભ.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
અમદાવાદ: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થતાં ભારતની Engineering નિકાસમાં મોટો ઘટાડો થયો છે. UAEમાં 66.8% અને સાઉદી અરેબિયામાં 45% ઘટાડો થયો છે. માર્ચમાં UAEમાં Engineering માલની નિકાસ ઘટીને $237.4 મિલિયન થઈ, જે ગયા વર્ષે $714.8 મિલિયન હતી. પરિસ્થિતિ ચિંતાજનક છે.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારે 7:00 વાગ્યાથી શરૂ, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 9.88 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં 464 મતદાન મથકો સંવેદનશીલ અને 39 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ.
વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 619 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 9.21 લાખથી વધુ મતદારો, 241 બેઠકો માટે મતદાન.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં જિલ્લાની 241 બેઠકો પર 619 candidates નું ભવિષ્ય 9.21 લાખથી વધુ મતદારો નક્કી કરશે. આ માટે 1157 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વાપી મહાનગરપાલિકા તથા ઉમરગામ નગરપાલિકામાં પણ મતદાન થશે. Election process શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે પોલીસ અને SRP નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 619 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 9.21 લાખથી વધુ મતદારો, 241 બેઠકો માટે મતદાન.
ગીર સોમનાથમાં AAP ઉમેદવારનો પ્રતિનિધિ દારૂ વહેંચતા પકડાયો, મતદારોને રીઝવવાનો પ્રયાસ થયો નિષ્ફળ.
ગુજરાત Local body election પહેલાં ગીર સોમનાથમાં AAP ઉમેદવારનો પ્રતિનિધિ દારૂ વહેંચતા પકડાયો. ચિત્રાવડ બેઠક પર મતદારોને રીઝવવા દારૂની રેલમછેલ કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા. જેપુર ગામના દિનેશ બાકુની ધરપકડ થઈ, તેમની કારમાંથી વિદેશી દારૂ અને રોકડ રકમ મળી, પોલીસે રૂ. 8.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો અને પ્રોહીબીશનનો કેસ દાખલ થયો.
ગીર સોમનાથમાં AAP ઉમેદવારનો પ્રતિનિધિ દારૂ વહેંચતા પકડાયો, મતદારોને રીઝવવાનો પ્રયાસ થયો નિષ્ફળ.
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જિલ્લાની 6 નગરપાલિકાઓ અને 11 તાલુકા પંચાયતો માટે 1,093 મતદાન મથકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે 8,64,877 અને નગરપાલિકાઓ માટે 2,10,677 મતદારો નોંધાયા છે. 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી થશે. અનેક નેતાઓએ મતદાન કર્યું, જેમાં કૌશિક વેકરીયા, પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીનો સમાવેશ થાય છે.
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ.
વ્યારા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં Mock Poll યોજાયું: વોર્ડ નંબર 2 માં ઉમેદવારો હાજર રહ્યા.
તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં Mock Poll યોજાયું. આ પ્રક્રિયા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કરવામાં આવી હતી. વોર્ડ નંબર બે માં ચૂંટણી કર્મચારીઓ દ્વારા Mock Poll થયું, જેમાં દરેક રાજકીય પક્ષના ઉમેદવારો હાજર રહ્યા હતા. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો, આઠ તાલુકા પંચાયતની 133 બેઠકો અને વ્યારા નગરપાલિકાની 19 બેઠકો માટે મતદાન થશે.
વ્યારા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં Mock Poll યોજાયું: વોર્ડ નંબર 2 માં ઉમેદવારો હાજર રહ્યા.
ગોધરામાં શારદા મંદિર સ્કૂલ મતદાન મથકમાં શોર્ટ સર્કિટથી આગ, EVM સુરક્ષિત.
ગોધરાના બામરોલી રોડ પર શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. ચૂંટણી સ્ટાફે સતર્કતાથી EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા, કોઈ નુકસાન થયું નથી. એર કંડિશનરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. પોલીસે ફાયરબ્રિગેડને રસ્તો ક્લિયર કરાવ્યો, અને જાનહાનિ ટળી હતી. મતદાન પ્રક્રિયાને અસર થઈ નથી.
ગોધરામાં શારદા મંદિર સ્કૂલ મતદાન મથકમાં શોર્ટ સર્કિટથી આગ, EVM સુરક્ષિત.
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 10.86 લાખ મતદારો
ભરૂચમાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી માટે 10.86 લાખ મતદારો આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 110, તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 495 ઉમેદવારો અને નગરપાલિકાની 132 બેઠકો માટે 345 ઉમેદવારો ચૂંટણી લડશે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 10.86 લાખ મતદારો
પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 10.66 લાખ મતદારો જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે મતદાન શરૂ થયું છે, જેમાં 10,66,033 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીના નેતૃત્વમાં 2,500 થી વધુ સુરક્ષાકર્મીઓ, SRPFની પ્લાટુન, 16 QRT ટીમ અને પોલીસ મોબાઈલ વાહનો તૈનાત છે.
પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 10.66 લાખ મતદારો જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ, જેમાં 1.43 લાખથી વધુ મતદારો ભાગ લેશે.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પોરબંદર-છાયા મહાનગરપાલિકામાં 1.43 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. મહાનગરપાલિકામાં 154 મતદાન મથકો પર 105 ઉમેદવારો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 9 બેઠકો બિનહરીફ છે. Ranavav અને Kutiyana નગરપાલિકાના વોર્ડ નંબર 6માં પેટાચૂંટણી છે. શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ, જેમાં 1.43 લાખથી વધુ મતદારો ભાગ લેશે.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન: 11.60 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
સુરેન્દ્રનગરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે. 1341 મતદાન મથકો પર 11.60 લાખથી વધુ મતદારો મતદાન કરશે. Surendranagar જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, 10 તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. કુલ 377 બેઠકોમાંથી 38 BJP એ બિનહરીફ જીતી. જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિણામ 28 એપ્રિલે જાહેર થશે.