પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
Published on: 26th April, 2026

પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે.