સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતિ નિમિત્તે સાગબારામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્વ. રાજીવ ગાંધી જન્મજયંતિ નિમિત્તે સાગબારામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Published on: 21st August, 2026

દેડિયાપાડાના સાગબારા ખાતે સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સેલંબાના ગોટપાડા મંદિરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ કાર્યકરોએ રાજીવ ગાંધીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કર્યું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંકલ્પ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વૃક્ષોના જતન અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે સૌએ સંકલ્પ લીધો.