રાજકોટમાં ડેમેજ કંટ્રોલ કરવા આવેલા ભાજપના નેતા લોકોના રોષનો ભોગ બન્યા
રાજકોટમાં ડેમેજ કંટ્રોલ કરવા આવેલા ભાજપના નેતા લોકોના રોષનો ભોગ બન્યા
Published on: 24th April, 2026

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક કલહ અને જનરોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નં. ૨ની બેઠકમાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જ્ઞાતિવાદ અને ટિકિટ ફાળવણી મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં પૂર્વ કોર્પોરેટરે ધારાસભ્યને "તમે ભગવાન નથી" કહી સંભળાવ્યું હતું. અનેક વોર્ડમાં કાર્યકરોની નારાજગી અને ડેમેજ કંટ્રોલ કરવા ગયેલા નેતાઓનો લોકોએ વિરોધ કર્યો હોવાના વીડિયો વાયરલ થયા છે. કોર્પોરેટરો દ્વારા જનતાની અવગણના થતી હોવાના આક્ષેપો સાથે શહેરમાં પરિવર્તનની માંગ ઉઠી છે.