વલસાડમાં ભાજપ પર ઉમેદવારોને ડરાવી ફોર્મ પરત ખેંચાવ્યાનો કોંગ્રેસનો દાવો
વલસાડમાં ભાજપ પર ઉમેદવારોને ડરાવી ફોર્મ પરત ખેંચાવ્યાનો કોંગ્રેસનો દાવો
Published on: 24th April, 2026

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે કોંગ્રેસે ભાજપ પર લોકશાહીના હનનનો ગંભીર આક્ષેપ કર્યો છે. પનાનેરાની રાત્રિસભામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલે આક્ષેપ કર્યો કે ભાજપે દાદાગીરી અને લાલચ આપીને જિલ્લા પંચાયતના ૪ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે. આ સાથે તેમણે પાયાની સુવિધાઓના અભાવ અને 'નળ છે પણ પાણી નથી' જેવી સમસ્યાઓ ઉઠાવી ભાજપના વિકાસના દાવાઓને પોકળ ગણાવ્યા હતા. કોંગ્રેસે ૨૬ એપ્રિલે જનતાને મજબૂત મતદાન કરી ભાજપની નીતિઓનો જડબાતોડ જવાબ આપવા હાકલ કરી છે.