પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ કે અશુભ?
પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ કે અશુભ?
Published on: 19th July, 2026

ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર, બીજવાળા ફળોનો ભોગ ધરાવવો અશુભ નથી, પરંતુ તેને યોગ્ય રીતે અર્પણ કરવા જોઈએ. કેરી, તરબૂચ જેવા મોટા બીજવાળા ફળોમાંથી ભોગ ધરાવતા પહેલાં બીજ કાઢી નાખવા શુભ મનાય છે. ભગવાનને બાળક સમાન માનીને, જેમ બાળકને ખવડાવતા પહેલાં અખાદ્ય ભાગ દૂર કરાય છે, તેમ ભોગ તૈયાર કરવો જોઈએ. ફળ ધોઈને, કાપ્યા પછી જ અર્પણ કરો; પહેલેથી કાપેલા ફળો ન ધરાવો.