અમદાવાદના યુવાન અને ૨૧ ગાયોની દ્વારકાધીશના દર્શન માટેની ૧૯ દિવસની અદભૂત યાત્રા.
અમદાવાદના યુવાન અને ૨૧ ગાયોની દ્વારકાધીશના દર્શન માટેની ૧૯ દિવસની અદભૂત યાત્રા.
Published on: 18th July, 2026

અમદાવાદના એક યુવાનને સ્વપ્નમાં ૨૧ ગાયો સાથે દ્વારકાધીશના દર્શનનો સંકલ્પ થયો. બોટાદના લાઠીદડથી શરૂ થયેલી આ પદયાત્રામાં યુવાનોએ ગાયો સાથે ૩૮૦ કિલોમીટરનું અંતર ૧૯ દિવસમાં કાપ્યું. આ યાત્રામાં ગાયો અને યુવાનોએ દરરોજ ૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું. રસ્તામાં લોકોના સહકારથી ઘાસચારાની કોઈ તકલીફ પડી નહોતી. અંતે, મંદિરના નિર્ધારિત સમય બાદ પણ ખાસ વ્યવસ્થા સાથે દ્વારકાધીશના સન્મુખ ગાયોને દર્શનનો લ્હાવો મળ્યો.