છોટાઉદેપુરના બોડેલીમાં જગન્નાથજીની રથયાત્રા
છોટાઉદેપુરના બોડેલીમાં જગન્નાથજીની રથયાત્રા
Published on: 17th July, 2026

બોડેલી શહેરમાં પાંચમા વર્ષે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી. અલીપુરા અને ઢોકળીયાના માર્ગો પર નગરચર્યા કરતાં ભગવાનને 21 અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોક્તવિધિ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. MLA અભયસિંહ તડવી, પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત અનેક મહાનુભાવો અને હજારો ભક્તો જોડાયા. ભક્તોએ જય જગન્નાથના નાદ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો અને પ્રસાદનો આનંદ માણ્યો. રથયાત્રામાં બેન્ડ-વાજા, ડીજે, વિવિધ ઝાંખી અને કલાકારોના કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું. મુસ્લિમ સમાજ દ્વારા પણ સ્વાગત અને પ્રસાદ વિતરણ કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.