ભાવનગરમાં ૪૧મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
ભાવનગરમાં ૪૧મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
Published on: 17th July, 2026

ભાવનગર શહેરમાં અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા ધૂમધામથી નીકળી. જય જગન્નાથના નાદ સાથે હજારો ભક્તો જોડાયા હતા. ભગવાન જગન્નાથ, ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજી ૧૮ કિલોમીટરની પરંપરાગત નગરયાત્રાએ નીકળ્યા હતા. દેશની ત્રીજી અને ગુજરાતની બીજી સૌથી મોટી આ રથયાત્રામાં વિવિધ ફ્લોટ્સ, રાસ-ગરબા અને ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા. શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં રથયાત્રાનું સમાપન થયું.