નસવાડી ગાયત્રી શક્તિ પીઠ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત મૌન સાધના.
નસવાડી ગાયત્રી શક્તિ પીઠ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત મૌન સાધના.
Published on: 16th July, 2026

નસવાડી સ્થિત ગાયત્રી શક્તિ પીઠ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વંદનીય માતા ભગવતી દેવી શર્માના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ મૌન સાધના કાર્યક્રમ યોજાયો. આ દિવ્ય સાધનામાં 48 સાધકોએ ભાગ લીધો, જેમાં મૌન, ધ્યાન અને આત્મચિંતન દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનો સંકલ્પ કર્યો. વિશ્વશાંતિ, માનવકલ્યાણ અને સદ્વિચારના પ્રસાર માટે પ્રાર્થના કરવામાં આવી. દર અમાસના દિવસે નિયમિત આયોજન દ્વારા વધુ સાધકોને જોડી આત્મવિકાસ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ઉદ્દેશ છે.