સાતમ-આઠમ પર સોમનાથમાં ભક્તોનો જમાવડો
સાતમ-આઠમ પર સોમનાથમાં ભક્તોનો જમાવડો
Published on: 06th September, 2026

સાતમ-આઠમ અને રજાના દિવસોને કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તોનો ભારે મહેરામણ ઉમટ્યો હતો. સોમનાથ ટ્રસ્ટનું પાર્કિંગ હાઉસફૂલ થતાં સદભાવના ગ્રાઉન્ડમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરાઈ હતી. જન્માષ્ટમી નિમિત્તે સોમનાથ મહાદેવને અંદાજે ₹2 કરોડના સુવર્ણ મુગટથી અલંકૃત કરવામાં આવ્યા હતા, જે દિલીપભાઈ લખી પરિવારે અર્પણ કર્યો હતો. આ દિવ્ય હરિહર એકત્વના દર્શનનો અનુભવ ભક્તોએ કર્યો. શ્રાવણ માસમાં પહેલેથી જ ભારે ભીડ અને ઓવરબ્રિજ નિર્માણને કારણે ગડુ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી.