મોરબીના રામકૃષ્ણનગર સોસાયટીમાં કૃષ્ણજન્મની ઉજવણી
મોરબીના રામકૃષ્ણનગર સોસાયટીમાં કૃષ્ણજન્મની ઉજવણી
Published on: 06th September, 2026

મોરબીના રામકૃષ્ણનગર સોસાયટીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું. અબાલ-વૃદ્ધો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોવિંદા મંડળીઓએ "નંદ ઘેર આનંદ ભયો" અને "ગોવિંદા આલા રે આલા" જેવા નારાઓ સાથે ઉત્સાહભેર મટકી ફોડી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મટકી ફોડ્યા બાદ માખણ અને મિષ્ટાન્નનો પ્રસાદ વહેંચાયો. આ સફળ આયોજનમાં સોસાયટીના સભ્યો અને યુવાનોએ સહયોગ આપ્યો.