પાલનપુરમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા
પાલનપુરમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા
Published on: 19th August, 2026

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાલનપુરમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રાનું આયોજન થયું. મોટી સંખ્યામાં શિવભક્તો બાલારામ મહાદેવ ધામથી પવિત્ર જળ લાવી મોટા રામજી મંદિરે પહોંચ્યા. રસ્તામાં ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું તિલક કરી સ્વાગત કરાયું અને ફરાળી વ્યવસ્થા પણ કરાઈ. મંદિરે પહોંચ્યા બાદ શિવલિંગ પર જલાભિષેક કરાયો. મોટા રામજી મંદિરમાં જીર્ણોદ્ધારની કામગીરી ચાલુ છે અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ યાત્રામાં અનેક ભક્તોએ ભાગ લીધો.