મહેસાણા જગન્નાથ રથયાત્રા: ભક્તોમાં અનેરો ઉત્સાહ
મહેસાણા જગન્નાથ રથયાત્રા: ભક્તોમાં અનેરો ઉત્સાહ
Published on: 17th July, 2026

અષાઢી બીજ નિમિત્તે મહેસાણામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળી. રામનવમી બાદ આ શહેરનું બીજું સૌથી મોટું આસ્થાપર્વ બની ગયું છે. હજારો ભક્તો કલાકો પહેલાંથી જ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. 9 કિલોમીટરના રૂટ પર નીકળેલી આ રથયાત્રામાં 17 ઝાંખીઓ, કીર્તન મંડળીઓ, ડીજે, અને પ્રસાદના ટ્રેક્ટરો જોડાયા હતા. પ્રથમ વખત મહિલા પોલીસ કર્મચારીઓએ પણ રથ ખેંચ્યો. ભક્તોએ ફૂલવર્ષા કરી, પ્રસાદ લીધો અને 'જય જગન્નાથ'ના જયઘોષથી વાતાવરણ ગુંજાવી દીધું.