રાજપીપળાના ચંદ્રમૌલીશ્વર મંદિરનો હિન્દુ દેવસ્થાન સમિતિમાં સમાવેશ
રાજપીપળાના ચંદ્રમૌલીશ્વર મંદિરનો હિન્દુ દેવસ્થાન સમિતિમાં સમાવેશ
Published on: 19th August, 2026

ગુજરાત સરકારે રાજપીપળા ખાતે સ્થિત શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિરને રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિમાં સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ઠરાવ બાદ, સરકાર હસ્તકના પ્રાચીન મંદિરોની કુલ સંખ્યા હવે 11 થઈ ગઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ, આ સમિતિ હવે શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ હિન્દુ ધાર્મિક સ્થળોના વહીવટનું સંચાલન કરશે.