પુરુષોત્તમ માસ: સાળંગપુર કષ્ટભંજન દેવને અન્નકૂટ
પુરુષોત્તમ માસ: સાળંગપુર કષ્ટભંજન દેવને અન્નકૂટ
Published on: 14th June, 2026

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સાળંગપુરધામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દાદાનો ભવ્ય શણગાર કરાયો હતો. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી દાદાને વિશેષ વાઘા અને અલંકારો પહેરાવાયા હતા. મંદિરના ગર્ભગૃહને સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી શણગારવામાં આવ્યું હતું. દાદાને પેંડા, બરફી, લાડુ, કાજુ કતરી જેવી વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. અધિકમાસ નિમિત્તે હનુમાન ચાલીસા યજ્ઞ પણ ચાલી રહ્યો છે.