8 દિવસ બાદ ગિરનાર રોપ-વે ફરી શરૂ
8 દિવસ બાદ ગિરનાર રોપ-વે ફરી શરૂ
Published on: 10th August, 2026

ગિરનાર પર સતત ભારે પવનને કારણે 8 દિવસ બાદ રોપ-વે રવિવારે ફરી શરૂ થયો હતો. સવારે વાતાવરણ ખરાબ હોવા છતાં 9:30 વાગ્યે રોપ-વે શરૂ થતાં જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે રોપ-વે સાઇટ પાસે એક કિલોમીટરથી વધુ લાંબી લાઇન લાગી હતી. ચોમાસામાં ખીલેલી પ્રકૃતિ અને રજાઓના દિવસોમાં માં અંબા અને દત્તાત્રેયના દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં વધારો થયો હતો. રવિવારે 2300થી વધુ લોકોએ રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો.