સુરતના કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડામાં દશામા માતાની આગમન યાત્રા નીકળી
સુરતના કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડામાં દશામા માતાની આગમન યાત્રા નીકળી
Published on: 13th August, 2026

દશામા વ્રતના પ્રારંભની પૂર્વ સંધ્યાએ સુરત જિલ્લામાં દશામાની મૂર્તિ ખરીદવા લોકોની મોટી ભીડ ઉમટી હતી. કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓએ મૂર્તિઓ અને પૂજાપો ખરીદી ઉત્સાહભેર આગમન યાત્રા કાઢી નિર્ધારિત સ્થળે પ્રતિમાઓ સ્થાપિત કરી. દસ દિવસ પૂજા-અર્ચના બાદ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. બજારોમાં ઉત્સવની તૈયારી રૂપે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.