અષાઢી ગુપ્ત નવરાત્રિના પ્રારંભે રણુ ખાતે ઘટસ્થાપન કરાયું
અષાઢી ગુપ્ત નવરાત્રિના પ્રારંભે રણુ ખાતે ઘટસ્થાપન કરાયું
Published on: 16th July, 2026

વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલ માં તુલજાભવાની માતાજીના મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રી મહોત્સવનો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. મહંત કવિન્દ્રગીરીજીના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરીઆપી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, પૂજન-અર્ચન તથા શક્તિ ઉપાસનાના કાર્યક્રમો યોજાનાર હોવાનું મંદિર તરફ્થી જણાવાયું હતું.