વડોદરાના શિનોર નગર અને તાલુકામાં ભક્તિમય માહોલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
વડોદરાના શિનોર નગર અને તાલુકામાં ભક્તિમય માહોલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Published on: 06th September, 2026

શિનોર પંથકમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસે ભક્તિમય માહોલ છવાયો હતો. મધ્યરાત્રિએ 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના જયઘોષ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા. ભૂલકાઓએ શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરી મટકી ફોડનો આનંદ માણ્યો. શિનોરના વિવિધ મંદિરો અને ઘરોમાં પારણાં, ફૂલ, ફુગ્ગા અને 'હેપી બર્થડે' બેનરો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.