એક વર્ષમાં 100થી વધુ વૈજ્ઞાનિકોએ ISRO છોડ્યું!
એક વર્ષમાં 100થી વધુ વૈજ્ઞાનિકોએ ISRO છોડ્યું!
Published on: 16th July, 2026

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માં વૈજ્ઞાનિકોના મોટા પાયે થઈ રહેલા રાજીનામા ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા એક વર્ષમાં લગભગ 100 થી 120 સિનિયર વૈજ્ઞાનિકો અને ટેકનિકલ એક્સપર્ટ્સે ISRO છોડી દીધું છે, જેમાં ગગનયાન અને ચંદ્રયાન-3 જેવા મહત્વાકાંક્ષી મિશન્સના મુખ્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ રાજીનામાના કારણે રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ પર અસર થવાની ભીતિ છે. સરકારે રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને થતા નુકસાનને રોકવા હવે વૈજ્ઞાનિકોના VRS કે રાજીનામાને સરળતાથી મંજૂરી ન આપવાનો કડક આદેશ કર્યો છે.