21 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાની PMને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે લખ્યો પત્ર
21 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાની PMને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે લખ્યો પત્ર
Published on: 24th August, 2026

વિશ્વ ક્રિકેટના 21 પૂર્વ દિગ્ગજ કેપ્ટનો, જેમાં ભારતના સુનીલ ગાવસ્કર અને કપિલ દેવનો પણ સમાવેશ થાય છે, તેઓએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને એક સંયુક્ત પત્ર લખ્યો છે. આ પત્ર પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન અને 1992ના વર્લ્ડ કપ વિજેતા સુકાની ઇમરાન ખાનના કથળતા સ્વાસ્થ્ય અને જેલમાં મળી રહેલી અયોગ્ય સારવાર અંગે ચિંતા વ્યક્ત કરે છે. પૂર્વ કેપ્ટનોએ ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર કરવા અને તેમને તાત્કાલિક યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવાની ભારપૂર્વક અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ રાજકીય બાબતોમાં દખલ કરવા નથી માંગતા, પરંતુ રમતગમતના સાથીદાર તરીકે આ માનવીય અપીલ કરી રહ્યા છે.