ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
Published on: 29th April, 2026

સ્વતંત્ર ભારતને પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ અપાવનાર મહાન કુસ્તીવીર ખાશાબા જાધવને સાડા સાત દાયકા પછી પણ પદ્મ પુરસ્કાર ન મળવો એ દેશની કરુણતા છે. ૧૯૫૨ની હેલસિંકી ઓલિમ્પિકમાં આર્થિક તંગી અને રમતગમતના રાજકારણ વચ્ચે પણ તેમણે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. બૉમ્બે હાઇકોર્ટે હવે કેન્દ્ર સરકારને તેમને મરણોત્તર પદ્મવિભૂષણ આપવા અંગે ૪ મે, ૨૦૨૬ સુધીમાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનાર અને પોલીસ અધિકારી તરીકે સેવા આપનાર આ હીરોની અવગણના હવે સમાપ્ત થવી જોઈએ.