ભારત-ઈંગ્લેન્ડ બીજી T20ના સમયમાં ફેરફાર!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ હવે ભારતીય ચાહકો માટે અનુકૂળ સમયે રમાશે. 4 જુલાઈએ Old Trafford Cricket Ground ખાતે યોજાનારી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 6:30 વાગ્યે થશે. પ્રથમ મેચમાં ભારતે 189 રન બનાવ્યા હતા, જેમાં અભિષેક શર્માએ 59, શ્રેયસ અય્યરે 68 અને શિવમ દુબેએ અણનમ 42 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ થઈ હતી.
ભારત-ઈંગ્લેન્ડ બીજી T20ના સમયમાં ફેરફાર!
સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન
ઈંગ્લેન્ડ સામે પ્રથમ T20માં સંજૂ સેમસન ફરી નિષ્ફળ જતાં તેની ફોર્મ પર સવાલો ઉઠ્યા છે અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને તક આપવાની માંગ વધી છે. જોકે પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે ઉતાવળ ન કરવી જોઈએ અને અનુભવી સેમસનને વધુ તક આપવી જોઈએ. તેમણે વૈભવના ટેલેન્ટના વખાણ કરતાં કહ્યું કે પ્રદર્શનના આધારે જ ટીમમાં સ્થાન મળવું જોઈએ. હવે 4 જુલાઈની બીજી T20માં કોને તક મળે છે તેના પર સૌની નજર રહેશે.
સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન
ટેલિગ્રામ, સિગ્નલને પણ સરકારી નોટિસ: Username ફીચર બન્યું ચિંતાનો વિષય
વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ ભારતીય સરકારે Username ફીચર અંગે નોટિસ ફટકારી છે. આ નોટિસો દ્વારા ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ અને સાયબર ગુનાઓ સામે આ પ્લેટફોર્મ્સ દ્વારા લેવાયેલા પગલાં અંગે ગંભીર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે બંને પ્લેટફોર્મ્સને Username ફીચર ચાલુ રાખવા પાછળના કારણો સ્પષ્ટ કરવા કહ્યું છે. NEET પેપર લીક જેવી ઘટનાઓ બાદ ટેલિગ્રામ પર સરકારની નજર હતી. હવે બંને પ્લેટફોર્મ્સ પાસેથી સુરક્ષા ઉપાયોની વિગતવાર માહિતી માંગવામાં આવી છે.
ટેલિગ્રામ, સિગ્નલને પણ સરકારી નોટિસ: Username ફીચર બન્યું ચિંતાનો વિષય
રામ મંદિર દાન ચોરી મામલો: ચંપત રાય-અનિલ મિશ્રાની મુશ્કેલી વધી
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં 6 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. તેમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવશે. ફેજાબાદ બાર એસોસિએશને ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ FIRની માંગ કરી છે. SIT તપાસ ચાલુ છે અને અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે. વિવાદ વધતા ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રામ મંદિર દાન ચોરી મામલો: ચંપત રાય-અનિલ મિશ્રાની મુશ્કેલી વધી
CBSE નો નવો નિયમ: 2026-27 માટે પેરેન્ટિંગ કેલેન્ડર
CBSE એ શૈક્ષણિક સત્ર 2026-27 માટે નવું 'પેરેન્ટિંગ કેલેન્ડર' લોન્ચ કર્યું છે. આનો ઉદ્દેશ્ય બાળકોના માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને પણ મજબૂત કરવાનો છે. બોર્ડ માને છે કે શાળા અને પરિવારના સહયોગથી બાળકોનો આત્મવિશ્વાસ અને શીખવાની ક્ષમતા વધશે. ગયા વર્ષના ફીડબેકના આધારે આ કેલેન્ડરમાં ઘણા મહત્વના ફેરફારો કરાયા છે, જેથી તે વાલીઓ માટે વધુ ઉપયોગી બને. નવા કેલેન્ડરમાં એવી અનેક પ્રવૃત્તિઓ સામેલ છે જેમાં વાલીઓએ સક્રિય ભાગ લેવો પડશે, જેથી બાળકોના ભણતરની સાથે તેમની વર્તણૂક અને માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે.
CBSE નો નવો નિયમ: 2026-27 માટે પેરેન્ટિંગ કેલેન્ડર
EPFOના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી PF ખાતામાં જમા થશે વ્યાજ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે ખુશીના સમાચાર છે. EPFO આવતીકાલ, 3 જુલાઇથી કર્મચારીઓના PF ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. આગામી 15 દિવસની અંદર દેશભરના આશરે 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે, જે મુજબ વ્યાજની ગણતરી કરીને રકમ સીધી ખાતાઓમાં ક્રેડિટ થશે.
EPFOના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી PF ખાતામાં જમા થશે વ્યાજ
કસ્ટડી ડેથ મામલે મહારાષ્ટ્રના 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા
મહારાષ્ટ્રની વાશિમ જિલ્લા અદાલતે 2011ના પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યાના કેસમાં પૂર્વ પોલીસ અધિકારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે. પારધી સમાજના બેગ્યા પવારને પૂછપરછના બહાને પોલીસ સ્ટેશન લઈ જઈ થર્ડ ડિગ્રી અત્યાચારથી મોતને ઘાટ ઉતારાયો હતો. CID તપાસમાં મજબૂત પુરાવા મળ્યા બાદ 15 વર્ષની કાનૂની લડાઈ પછી કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા. મૃતકના પરિવારજનોએ ચુકાદાને ન્યાયની જીત ગણાવી સંતોષ વ્યક્ત કર્યો.
કસ્ટડી ડેથ મામલે મહારાષ્ટ્રના 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા
અયોધ્યા રામ મંદિર દાન ચોરી: કોંગ્રેસની સુપ્રીમ કોર્ટ દેખરેખ હેઠળ તપાસની માંગ
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મામલે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે જણાવ્યું કે, કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે આક્ષેપ કર્યો કે, ચોરીની અગાઉથી ચેતવણી હોવા છતાં તેને નજરઅંદાજ કરાઈ. SIT દ્વારા તપાસ આંખોમાં ધૂળ નાખવા જેવી છે અને મોટા આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ માત્ર નાણાકીય ગેરરીતિ નહીં, ધાર્મિક આસ્થાના રાજકીય અને આર્થિક ઉપયોગનો ગંભીર મુદ્દો છે.
અયોધ્યા રામ મંદિર દાન ચોરી: કોંગ્રેસની સુપ્રીમ કોર્ટ દેખરેખ હેઠળ તપાસની માંગ
જૂનમાં ક્રુડ તેલની પ્રતિ દિન ૪૯.૩૦ લાખ બેરલની વિક્રમી આયાત
પશ્ચિમ એશિયામાં પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે, ભારતે જૂન મહિનામાં પ્રતિ દિન ૪૯.૩૦ લાખ બેરલ ક્રુડ તેલની અત્યાર સુધીની સૌથી વધુ આયાત નોંધાવી છે. ખાસ કરીને, રશિયામાંથી આયાત પ્રતિ દિન ૨૬ લાખ બેરલ રહી છે, જે મે મહિનાની સરખામણીમાં ૩૭% નો વધારો દર્શાવે છે. રિસર્ચ પેઢી કેપ્લરના અહેવાલ મુજબ, આ વિક્રમી આયાત ભારતના આયાત સ્ત્રોતોમાં વૈવિધ્યકરણ અને ઓપેક દ્વારા ઉત્પાદનમાં વધારાનું પરિણામ છે. આનાથી ઘરઆંગણે ક્રુડ અને એલપીજીની ઉપલબ્ધતા અંગેની ચિંતાઓ ઓછી થઈ છે.
જૂનમાં ક્રુડ તેલની પ્રતિ દિન ૪૯.૩૦ લાખ બેરલની વિક્રમી આયાત
તમારા પિતાનું નિધન થયું છે...: LIVE પ્રેસ કૉન્ફરન્સમાં કોચ પર તૂટ્યો દુઃખનો પહાડ
ફિફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડ સામે 2-1થી હાર બાદ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના કોચ સેબેસ્ટિયન ડેસાબ્રેને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના પિતાના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા. આઘાત છતાં તેમણે શાંતિપૂર્વક સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો. કોંગોની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હોવા છતાં તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા થઈ છે. ડેસાબ્રેના માર્ગદર્શન હેઠળ ટીમે 1974 પછી પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ, પ્રથમ ગોલ, પ્રથમ જીત અને નોકઆઉટ સુધી પહોંચીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.
તમારા પિતાનું નિધન થયું છે...: LIVE પ્રેસ કૉન્ફરન્સમાં કોચ પર તૂટ્યો દુઃખનો પહાડ
હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે?
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મુઝ સંકટ ટળતાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે, પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ કર્યું કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય. તેમણે જણાવ્યું કે હાલ કંપનીઓ અગાઉ ઊંચા ભાવે ખરીદાયેલા ક્રૂડનો ઉપયોગ કરી રહી છે. જો આગામી 2-3 મહિના સુધી ક્રૂડના ભાવ નીચા રહેશે તો ભાવ ઘટાડા અંગે વિચારાશે. તેમણે દાવો કર્યો કે વૈશ્વિક સરખામણીએ ભારતમાં ઈંધણના ભાવમાં વધારો ઘણો ઓછો રહ્યો છે.
હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે?
NEET-JEEમાં મોટા ફેરબદલ!
કેન્દ્ર સરકાર NEET અને JEE જેવી પ્રવેશ પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. નવા પ્રસ્તાવ મુજબ મેડિકલ અને એન્જિનિયરિંગ પ્રવેશમાં ધોરણ 12ના બોર્ડના ગુણને 50 ટકા વજન મળી શકે છે. આ નિર્ણયથી માત્ર એન્ટ્રન્સ પરીક્ષાનો ભાર ઘટશે તેમજ કોચિંગ પરની નિર્ભરતા ઓછી થશે. પેપર લીક અને પરીક્ષા ગડબડ બાદ પારદર્શિતા વધારવા શિક્ષણ મંત્રાલયની સમિતિ ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે, જેમાં પરીક્ષા પદ્ધતિમાં સુધારાની ભલામણો કરવામાં આવશે.
NEET-JEEમાં મોટા ફેરબદલ!
જાણો જેલમાં રહીને એક સ્વાતંત્ર્ય સેનાની કેવી રીતે બન્યા ભારતના રેઈનકોટ કિંગ
બ્રિટિશ શાસન દરમિયાન મોંઘા વિદેશી વોટરપ્રૂફ કપડાં સામે ભારતને આત્મનિર્ભર બનાવવા સ્વાતંત્ર્ય સેનાની અને વૈજ્ઞાનિક સુરેન્દ્ર મોહન બોઝે ‘ડકબેક’ (Duckback) બ્રાન્ડની સ્થાપના કરી હતી. જેલવાસ દરમિયાન ભારતીય સૈનિકોની તકલીફો જોઈને તેમણે દેશમાં જ સસ્તા અને મજબૂત રેઈનકોટ બનાવવાનું નક્કી કર્યું. બતકના પીંછા પરથી પાણી સરકી જવાની કુદરતી પ્રક્રિયામાંથી પ્રેરણા લઈ ખાસ વલ્કેનાઈઝેશન ટેકનિક દ્વારા વર્ષ ૧૯૨૦માં આ રેઈનવેર લોન્ચ કરાયા હતા. આ સાહસ પાછળથી ‘બંગાળ વોટરપ્રૂફ લિમિટેડ’ બન્યું, જેણે સામાન્ય નાગરિકોથી લઈને ભારતીય સેના માટે વિવિધ રબર પ્રોડક્ટ્સ બનાવી દેશભક્તિ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જાણો જેલમાં રહીને એક સ્વાતંત્ર્ય સેનાની કેવી રીતે બન્યા ભારતના રેઈનકોટ કિંગ
હિન્દુ મંદિરોના પૈસાથી નહીં બને મૉલ અને હૉલ, CM વિજયે રદ કર્યા 46 પ્રોજેક્ટ્સ
તામિલનાડુના નવા મુખ્યમંત્રી ‘થલાપતિ’ વિજયે સત્તા સંભાળતા જ પૂર્વ ડીએમકે (DMK) સરકારના ₹૨૪૫.૮૫ કરોડના ૪૬ પ્રોજેક્ટ્સ રદ કરી તે નાણાં મંદિરો અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે વાપરવાનો નિર્ણય કર્યો છે. મે ૨૦૨૬માં સત્તા પર આવેલા વિજયે ૨.૪ કરોડ પરિવારોને ૨૦૦ યુનિટ મફત વીજળી, સરકારી બસોને એસી (AC) બનાવવાની અને ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે ડ્રગ્સ વિરોધી ટાસ્ક ફોર્સ, મહિલા સુરક્ષા માટે ‘સિંગપ્પેન’ ફોર્સની રચના કરી છે તથા ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે.
હિન્દુ મંદિરોના પૈસાથી નહીં બને મૉલ અને હૉલ, CM વિજયે રદ કર્યા 46 પ્રોજેક્ટ્સ
દિલ્હીમાં આતંકવાદી કાવતરાનો પર્દાફાશ: ISIના 4 આતંકીઓ ઝડપાયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા આતંકવાદી અને શસ્ત્ર નેટવર્કનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પંજાબ અને દિલ્હીમાં થયેલી કાર્યવાહીમાં વિદેશી પિસ્તોલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત કરાયા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ISI હેન્ડલર શહઝાદ ભટ્ટીના ઇશારે ડ્રોન મારફતે શસ્ત્રો મંગાવતા અને વિદેશી નંબરથી સંપર્ક કરતા હતા. મુખ્ય આરોપી ગગનપ્રીતને દિલ્હીમાં પોલીસ સ્ટેશનો અને ધાર્મિક સ્થળોની જાસૂસી તેમજ હુમલાની જવાબદારી સોંપાઈ હતી.
દિલ્હીમાં આતંકવાદી કાવતરાનો પર્દાફાશ: ISIના 4 આતંકીઓ ઝડપાયા
દિલજીત દોસાંઝે 'કોકરોચ જનતા પાર્ટી'ના આંદોલનથી બનાવી દૂરી!
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મોટાભાગના બોલિવૂડ સેલેબ્સે CJPને સમર્થન આપ્યું છે, જેમાં પ્રકાશ રાજ પણ જોડાયા હતા. જોકે, પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે આ આંદોલનથી અંતર રાખ્યું છે. એક ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન, જ્યારે ચાહકે CJP પ્રદર્શન વિશે પૂછ્યું, ત્યારે દિલજીતે સ્પષ્ટ કહ્યું કે તેઓ એક કલાકાર છે, નેતા નથી અને આ બાબતોથી દૂર રહેવા માગે છે.
દિલજીત દોસાંઝે 'કોકરોચ જનતા પાર્ટી'ના આંદોલનથી બનાવી દૂરી!
શું મમતા બેનરજીનું રાજકીય ભવિષ્ય ઠાકરે-પવાર જેવું થશે?
પશ્ચિમ બંગાળમાં TMC Political Crisis વધુ ઘેરી બની રહી છે. ગુરુવારે, તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોના જૂથે ચૂંટણી પંચ (EC) સાથે મુલાકાત કરી અને પોતાને બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થન ધરાવતું જૂથ ગણાવ્યું. રિતબ્રત બેનરજીના નેતૃત્વ હેઠળના આ જૂથે પરિવારવાદ, સરમુખત્યારશાહી અને ભ્રષ્ટાચાર સામે લડાઈનો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું કે મોટાભાગના ધારાસભ્યો, કાઉન્સિલરો અને જિલ્લા પરિષદના સભ્યો તેમની સાથે છે, જે અસલી તૃણમૂલ કોંગ્રેસ છે.
શું મમતા બેનરજીનું રાજકીય ભવિષ્ય ઠાકરે-પવાર જેવું થશે?
જોસ બટલરએ T20માં વિકેટકીપિંગનો રચ્યો ઇતિહાસ!
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ થઈ હતી, પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે હર્ષિત રાણાને સ્ટમ્પ આઉટ કરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટકીપર તરીકે 100 ડિસમિસલ પૂર્ણ કરનાર વિશ્વના બીજા અને ઇંગ્લેન્ડના પ્રથમ ખેલાડી બનવાનો ઇતિહાસ રચ્યો. T20I ક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરનારા વિકેટકીપર્સની યાદીમાં ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 91 ડિસમિસલ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટ 17 ડિસમિસલ સાથે આ રેસમાં ઘણો પાછળ રહી ગયો છે.
જોસ બટલરએ T20માં વિકેટકીપિંગનો રચ્યો ઇતિહાસ!
કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી! લાઈ-ડિટેક્ટર ટેસ્ટની માંગ
પૂણેના બિલ્ડર કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સિયા ગોયલનો લાઈ-ડિટેક્ટર (પોલીગ્રાફ) ટેસ્ટ કરાવવા કોર્ટમાં મંજૂરી માંગી છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રત્યક્ષ પુરાવાના અભાવે સત્ય બહાર લાવવા આ ટેસ્ટ જરૂરી છે. સિયા અને સહ-આરોપી ચેતન ચૌધરી હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે મોબાઈલ ડેટા ડિલીટ થયાની આશંકા વચ્ચે ફોરેન્સિક તપાસ શરૂ કરી છે અને લોહગઢ કિલ્લા પર ક્રાઈમ સીનનું પુનઃનિર્માણ કરીને ઘટનાક્રમની તપાસ આગળ વધારી છે.
કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી! લાઈ-ડિટેક્ટર ટેસ્ટની માંગ
એડનની ખાડીમાં ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોઝનું મોટું ઓપરેશન!
એડનની ખાડીમાં ભારતીય નૌસેનાના માર્કોસ કમાન્ડોઝે ભારતીય વેપારી જહાજ MV ગોલ્ડન આસ્નેનલ પર સમુદ્રી ચાંચિયાઓના હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ક્રૂ મેમ્બરે સેટેલાઈટ ફોનથી સમયસર મદદ માગતા INS ત્રિકંદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું, જેના કારણે ચાંચિયાઓ ભાગી છૂટ્યા. બાદમાં માર્કોસ કમાન્ડોઝે જહાજની સંપૂર્ણ તપાસ કરીને તેને સુરક્ષિત જાહેર કર્યું. વિશ્વના વ્યસ્ત સમુદ્રી માર્ગ એડનની ખાડીમાં ભારતીય નૌસેના વેપારી જહાજોની સુરક્ષા માટે સતત સતર્ક નજર રાખી રહી છે.
એડનની ખાડીમાં ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોઝનું મોટું ઓપરેશન!
અટલ ટનલ પાસે કાર પિલરમાં ઘૂસી!
હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલ પાસે ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો ગાડી બેરિકેડ તોડીને નિર્માણાધીન પિલરમાં ઘૂસી ગઈ હતી, જેમાં લોખંડના સળિયા ગાડીમાં પ્રસરી ગયા હતા. આ દુર્ઘટનામાં રાજસ્થાનના એક પ્રવાસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઉત્તર પ્રદેશના તેના ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં અતિશય ઝડપને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે.
અટલ ટનલ પાસે કાર પિલરમાં ઘૂસી!
વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને 'નાની બહેન' કહીને આવકાર્યા
ભારત અને જાપાને સંરક્ષણ, ફાર્માસ્યુટિકલ, સેમિકન્ડક્ટર, AI, રોકાણ અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અનેક સમજૂતી કરારો કર્યા છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચીના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને નવા યુગમાં પ્રવેશતી ગણાવી હતી. બંને દેશોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ આધારિત વ્યવસ્થા માટે સંયુક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને પરસ્પર વિશ્વાસને સંબંધોની સૌથી મોટી તાકાત ગણાવી.
વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને 'નાની બહેન' કહીને આવકાર્યા
IND vs ENG T20 મેચ વરસાદમાં ધોવાઈ, અભિષેક અને શ્રેયસની ફિફ્ટી એળે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી, જે ઈંગ્લેન્ડમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી ફિફ્ટી છે. શ્રેયસ અય્યરે પણ 9મી T20I ફિફ્ટી પૂરી કરી. વરસાદના કારણે બીજી ઈનિંગ શરૂ થઈ શકી નહોતી. આ 5 મેચની સિરીઝની બીજી T20 મેચ 4 જુલાઈના રોજ રમાશે.
IND vs ENG T20 મેચ વરસાદમાં ધોવાઈ, અભિષેક અને શ્રેયસની ફિફ્ટી એળે
'ભારત ગંદુ છે, ત્યાં હોત તો ક્યારેય CEO ન બની હોત...' ઈન્દિરા નૂયીએ ઝેર ઓક્યું
પેપ્સિકોના પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતીય વર્ક કલ્ચર અને સામાજિક વ્યવસ્થા પર કડવી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે જો તેઓ ભારતમાં રહ્યા હોત તો ક્યારેય CEO બની શક્યા ન હોત, કારણ કે અમેરિકાની યોગ્યતા આધારિત સિસ્ટમ વધુ શ્રેષ્ઠ છે. તેમણે ચીનની વ્યવસ્થાના વખાણ કર્યા અને ભારતને 'અસ્તવ્યસ્ત' ગણાવ્યું. લોકશાહીના કારણે ભારતમાં વિકાસ ધીમો છે, જ્યારે ચીનનો વિકાસ ઝડપી છે. તેમ છતાં, તેઓ ભારતની લોકશાહીથી ખુશ છે. અમેરિકાએ ચીન સામેના હરીફાઈમાં ભારતને 'નેચરલ પાર્ટનર' ગણાવ્યું.
'ભારત ગંદુ છે, ત્યાં હોત તો ક્યારેય CEO ન બની હોત...' ઈન્દિરા નૂયીએ ઝેર ઓક્યું
મેક્સિકોની ફિફા વર્લ્ડ કપ જીત બાદ ઉજવણી માતમમાં ફેરવાઈ!
ફિફા વર્લ્ડ કપ 2026માં ઇક્વાડોર સામે મેક્સિકોની ઐતિહાસિક જીત બાદ મેક્સિકો સિટીમાં ઉજવણી દરમિયાન ભારે ભીડ સર્જાતા 4 ફૂટબોલ ફેન્સના ગૂંગળામણથી દુઃખદ મોત થયા. મેક્સિકોની 2-0ની જીત બાદ હજારો પ્રશંસકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 'એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ' સ્મારક પાસે એકત્ર થયેલી અતિશય ભીડમાં 2 મહિલાઓ અને 2 પુરુષો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, જેમને બચાવી શકાયા નહોતા. મેયર દ્વારા નાગરિકોને જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અપીલ કરાઈ.
મેક્સિકોની ફિફા વર્લ્ડ કપ જીત બાદ ઉજવણી માતમમાં ફેરવાઈ!
સાયબર છેતરપિંડી: ઈ-ચલણના નામે નકલી એપ્લિકેશનથી ધૂમ મચાવતી નવી તરકીબ
ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો 'વાહન બચાવ' કે ટ્રાફિક પોલીસના નામે નકલી ઈ-ચલણની લિંક મોકલી નાગરિકોને છેતરી રહ્યા છે. આ નકલી લિંક પર ક્લિક કરવાથી બેંક ખાતાની વિગતો ચોરી નાણાંની છેતરપિંડી થાય છે. બીજી પદ્ધતિમાં, તેઓ વોટ્સએપ પર નકલી એપ્લિકેશન મોકલી મોબાઈલમાં વાયરસ દાખલ કરે છે, જે SMS, કૉલ અને બેંક વિગતો ચોરી શકે છે. સાયબર નિષ્ણાતો સલાહ આપે છે કે અજાણી લિંક પર ક્લિક ન કરો અને કોઈપણ એપ્લિકેશન માત્ર સત્તાવાર સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. શંકાસ્પદ સંદેશાને અવગણો અને ભોગ બન્યા તો તરત જ 1930 પર સંપર્ક કરો.
સાયબર છેતરપિંડી: ઈ-ચલણના નામે નકલી એપ્લિકેશનથી ધૂમ મચાવતી નવી તરકીબ
બેંગ્લુરુમાં ખાણ દુર્ઘટના: 9 શ્રમિકોના ભેખડ નીચે દબાઈ જવાથી કરુણ મોત
બેંગ્લુરુના દક્ષિણ તાલુકાના મડાપટનામાં એક પથ્થરની ખાણમાં કામ કરી રહેલા 9 શ્રમિકો પર વિશાળ ભેખડ ધસી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. બિહાર અને અસમના આ રોજમદાર શ્રમિકો 40 ફૂટની ઊંચાઈએથી પડેલા પથ્થર નીચે દટાઈ ગયા હતા, અને તેમને બચવાની કોઈ તક મળી નહોતી. ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અને બચાવ દળોએ રાહત કામગીરી શરૂ કરી છે અને દુર્ઘટનાના કારણો તથા સુરક્ષા નિયમોના પાલનની તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
બેંગ્લુરુમાં ખાણ દુર્ઘટના: 9 શ્રમિકોના ભેખડ નીચે દબાઈ જવાથી કરુણ મોત
રોબર્ટ કિયોસાકીની નવી પોસ્ટ વાઈરલ: ભારતીય ગુરુએ બદલી જિંદગી
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki) ની એક નવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે રોકાણ ટિપ્સને બદલે પોતાના જીવનના હેતુ વિશે વાત કરી છે. કિયોસાકીએ જણાવ્યું કે, એક ભારતીય ગુરુ (Indian Guru) ની વાતોએ તેમને હચમચાવી દીધા હતા. તેમણે કહ્યું કે, શરીરનો હેતુ આત્માના લક્ષ્યને પૂરો કરવાનો છે. તેમને પોતાના જીવનનો હેતુ લોકોને ટીચર તરીકે શીખવવાનું લાગ્યો, જે તેમને સ્કૂલ પ્રત્યેની નફરત હોવા છતાં સમજાયું.
રોબર્ટ કિયોસાકીની નવી પોસ્ટ વાઈરલ: ભારતીય ગુરુએ બદલી જિંદગી
EPFO નવા નિયમો: ₹1800 થી વધુ PF યોગદાન કર્મચારીની ઈચ્છા મુજબ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા PF નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, હવે ₹15,000 સુધીના પગાર પર જ 12% PF કાપ ફરજિયાત રહેશે. ₹1 લાખ પગાર ધરાવતા કર્મચારી માટે પણ ₹1,800 જમા થશે. આ કાનૂની મર્યાદા કરતાં વધુ રકમ PF માં જમા કરાવવી કે નહીં, તે સંપૂર્ણપણે કર્મચારીની ઈચ્છા પર નિર્ભર રહેશે. કર્મચારી પોતાની બાકીની સેલરીમાંથી નિવૃત્તિ સમયની બચત માટે વધારાનું રોકાણ કરી શકશે.
EPFO નવા નિયમો: ₹1800 થી વધુ PF યોગદાન કર્મચારીની ઈચ્છા મુજબ
માર્ગ અકસ્માત મામલે IT રિટર્નના આધારે વળતર નક્કી કરો: સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન
માર્ગ અકસ્માતના વળતર સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે મૃતક અથવા ઈજાગ્રસ્તની આવક નક્કી કરવા માટે આવકવેરા રિટર્ન (IT રિટર્ન)ને મુખ્ય આધાર માનવો જોઈએ. સાથે જ દેશભરની અદાલતો માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મોટર વ્હિકલ એક્ટ હેઠળ વાર્ષિક આવક નક્કી કરવા માટે એકસરખું સૂત્ર લાગુ થઈ શકે નહીં અને પગારદાર તેમજ સ્વરોજગાર વ્યક્તિઓ માટે અલગ માપદંડ અપનાવવા જોઈએ.
માર્ગ અકસ્માત મામલે IT રિટર્નના આધારે વળતર નક્કી કરો: સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન
IPL 2027: હાર્દિક પંડ્યા મુંબઈ છોડશે? 7 ટીમો વચ્ચે ખરીદવા જામી હોડ
IPL 2027 ની આગામી સીઝન પહેલા ખેલાડીઓના ટ્રેડિંગની બજાર ગરમ છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝી છોડી શકે તેવી અટકળોએ ચર્ચા જગાવી છે. હવે અહેવાલો મુજબ, ટ્રેડિંગ વિન્ડો દ્વારા હાર્દિકને સામેલ કરવા 7 ફ્રેન્ચાઇઝીઓ મેદાનમાં ઉતરી છે. CSK અને KKR વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. Gujarat Titans, Delhi Capitals, Rajasthan Royals, Punjab Kings અને Lucknow Super Giants પણ સ્પર્ધામાં છે. RCB અને SRH એ રસ દાખવ્યો નથી.