હિમાચલ પ્રદેશમાં ભયાનક વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 14ના મોત
હિમાચલ પ્રદેશમાં ભયાનક વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 14ના મોત
Published on: 04th July, 2026

હિમાચલ પ્રદેશમાં મોન્સૂનનો પ્રકોપ યથાવત છે, જેના કારણે ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં કુદરતી આફતોમાં 14 લોકોના મોત થયા છે. કિન્નોરમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે શિમલા-રિકાંગપિઓ National Highway બંધ થયો અને કાર કાટમાળમાં ફસાઈ, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 16 કરોડ રૂપિયાના નુકસાનનું આકલન થયું છે, જેમાં 49 રસ્તાઓ અને 3 ટ્રાન્સફોર્મર બંધ છે. હવામાન વિભાગે 12 જુલાઈ સુધી ભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.