હવામાન સુધરતાં 286 બોટને ટોકન ઈશ્યૂ
હવામાન સુધરતાં 286 બોટને ટોકન ઈશ્યૂ
Published on: 19th September, 2026

પોરબંદર જિલ્લામાં ખરાબ હવામાનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ લાંગરી દેવા સૂચના અપાઈ હતી. વાતાવરણમાં સુધારો થતાં માછીમારી ફરી શરૂ થઈ રહી છે. ફિશરીઝ વિભાગે બોટ માટે ટોકન ઈશ્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 286 બોટ માલિકોએ ટોકન મેળવી દરિયો ખેડવા પ્રસ્થાન કર્યું છે. 14 સપ્ટેમ્બરે ખરાબ હવામાનને કારણે ટોકન ઈશ્યૂ બંધ કરાયું હતું, ત્યારે લગભગ 2400 બોટ માછીમારી કરી રહી હતી. માછીમારોની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને પરત ફરવાની સૂચના અપાઈ હતી.