ભરૂચના ઝઘડિયા, વાલિયા, નેત્રંગમાં ભારે વરસાદ
ભરૂચના ઝઘડિયા, વાલિયા, નેત્રંગમાં ભારે વરસાદ
Published on: 01st July, 2026

ભરૂચ જિલ્લામાં લાંબા સમયના ઉકળાટ બાદ જૂનના અંતિમ દિવસે મેઘરાજાની પધરામણી થઈ. મોડી શરૂ થયેલા ચોમાસાથી ચિંતિત ખેડૂતો માટે રાહતરૂપ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં માત્ર 2 કલાકમાં 10 mm વરસાદ નોંધાયો. અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝાપટાં પડ્યા. અંકલેશ્વરમાં 29મીએ વધુ વરસાદ થયો હતો. હાલનો સામાન્ય વરસાદ વાવેલા કપાસ અને તુવેર જેવા પાક માટે પૂરતો નથી. જો આગામી બે દિવસમાં વધુ વરસાદ નહીં પડે તો બિયારણ નિષ્ફળ જવાની શક્યતા છે, જે ગત વર્ષની સરખામણીમાં ચિંતાજનક છે.