ઉત્તરાખંડમાં ભારે વરસાદ: 7 લોકોનાં મોત, 172 થી વધુ રસ્તાઓ બંધ
ઉત્તરાખંડમાં ભારે વરસાદ: 7 લોકોનાં મોત, 172 થી વધુ રસ્તાઓ બંધ
Published on: 02nd September, 2026

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા છે. અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયાં છે અને 172 થી વધુ રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. SDRF, પોલીસ અને વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે, પરંતુ સતત વરસાદ કામગીરીમાં અવરોધરૂપ બની રહ્યો છે.