નેપાળ પૂરમાં 105 ભારતીયો સહિત 291 વિદેશી નાગરિકો ગુમ
નેપાળ પૂરમાં 105 ભારતીયો સહિત 291 વિદેશી નાગરિકો ગુમ
Published on: 26th August, 2026

નેપાળની તિબેટ સરહદ નજીક રસૂવામાં આવેલા અચાનક ભયાનક પૂરથી ભારે તબાહી મચી છે. અનેક ગામો, વીજ પ્રોજેક્ટ્સ અને પુલો તણાઈ ગયા છે. ભોટેકોશી નદીમાં આવેલા આ પૂરમાં 142 ભારતીયો સહિત કુલ 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકો ગુમ થયા છે. રસૂવામાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે બચાવ કાર્ય ચાલુ છે. આ ઘટનામાં 5 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ઈમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઇન નંબર 1144 અને ટુરિસ્ટ પોલીસ નંબર 9851289445 જાહેર કરાયા છે. નેપાળમાં થયેલી આ દુર્ઘટના બાદ બિહારમાં પણ ગંડક નદીને લઈને હાઈ એલર્ટ જાહેર કરાયું છે.