ભારત યાત્રા પર જઈ રહેલા 92 શીખોને પાકિસ્તાન એરપોર્ટ પર જ રોક્યા
ભારત યાત્રા પર જઈ રહેલા 92 શીખોને પાકિસ્તાન એરપોર્ટ પર જ રોક્યા
Published on: 12th September, 2026

પાકિસ્તાનથી ભારતના ધાર્મિક સ્થળ શ્રી હેમકુંડ સાહિબ જવા નીકળેલા 92 શીખ શ્રદ્ધાળુઓને ફૈસલાબાદ એરપોર્ટ પર રોકી દેવાયા છે. આ તમામ શીખો પાસે ભારતના કાયદેસરના વીઝા હતા. ગુરુવારે બાળકો અને મહિલાઓ સહિત આ શીખો UAE થઇને આવતી ફ્લાઇટમાં બેસવા પહોંચ્યા હતા. પરંતુ પાકિસ્તાન ઇમિગ્રેશન વિભાગે તેમને ફ્લાઇટમાં બેસતા અટકાવ્યા. પાકિસ્તાન ઇમિગ્રેશનના દાવા મુજબ, શીખો પાસે રિટર્ન ટિકિટ અને સરકાર પાસેથી NOC નહોતું. શીખોએ વીડિયો શેર કરી મદદ માંગી છે.