ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત: વેપાર અને વૈશ્વિક સંતુલન પર ચર્ચા.
ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાત માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ વૈશ્વિક વ્યૂહાત્મક સંતુલન માટે પણ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ચીન બંનેને સાથી અને સ્પર્ધકો માનવામાં આવે છે, તેથી આ બેઠકનું રાજદ્વારી મહત્વ નોંધપાત્ર છે, જે સમગ્ર વિશ્વને અસર કરશે. ટેરિફ્ યુદ્ધ, ઈરાન કટોકટી અને દુર્લભ પૃથ્વી ખનિજો પર ચીનના નિયંત્રણ જેવા મુદ્દાઓ ચર્ચામાં રહેશે. તેમની પરસ્પર નિર્ભરતા અને જરૂરિયાતને કારણે સહકારનો માર્ગ શોધવાની અપેક્ષા છે.
ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત: વેપાર અને વૈશ્વિક સંતુલન પર ચર્ચા.
BRICSમાં દરિયાઈ સુરક્ષા પર ભાર: ઈરાન, UAE સાથે ભારતનો સ્પષ્ટ સંદેશ.
BRICS દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતે દરિયાઈ સુરક્ષા, ઊર્જા પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરી. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ સી જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાનો દરિયાઈ પ્રવાહ વૈશ્વિક આર્થિક સુખાકારી માટે અત્યંત આવશ્યક છે. તેમણે ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડી શકે છે. ભારતે બ્રિક્સના સભ્ય દેશો, ખાસ કરીને ઈરાન અને UAEને અપીલ કરી છે કે તેઓ આ અભૂતપૂર્વ ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા અને 'એકતરફી પ્રતિબંધો'નો સામનો કરવા માટે કોઈ વ્યવહારુ રસ્તો શોધે.
BRICSમાં દરિયાઈ સુરક્ષા પર ભાર: ઈરાન, UAE સાથે ભારતનો સ્પષ્ટ સંદેશ.
UAE સાથે ખાસ ડીલ: ઈરાનના હુમલા સામે ભારત મદદ માટે તૈયાર.
PM મોદી UAE પહોંચ્યા, F-16 વિમાનો દ્વારા ભવ્ય સ્વાગત. UAE રાષ્ટ્રપતિ સાથે ગુજરાત માટે ખાસ ડીલ, ઈરાનના હુમલાની નિંદા કરી. રક્ષણ, ઊર્જા, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 5 અબજ USDના કરાર. ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર બનશે. પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા યુએઈની સુરક્ષા માટે તેની પડખે ઉભું રહેશે. ખાસ કરીને વેપાર અને ઊર્જાના પુરવઠાને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને વહેલી તકે કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો.
UAE સાથે ખાસ ડીલ: ઈરાનના હુમલા સામે ભારત મદદ માટે તૈયાર.
વલસાડ સંસ્થામાં માર્કેટિંગ હેડ દ્વારા ₹9.80 લાખની છેતરપિંડી.
સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, પ્રતિ કિલોફેટ ₹1020 મળશે.
સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર લાવ્યા છે. ગત નાણાકીય વર્ષના અંતે બોનસમાં વધારો કર્યો છે. અગાઉ ₹870 પ્રતિ કિલોફેટ ઉપરાંત ₹30 BCU ફેટફેર મળતા હતા. હવે ₹120 બોનસ સાથે કુલ ₹1020 મળશે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ નિર્ણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક લાભ થશે.
સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, પ્રતિ કિલોફેટ ₹1020 મળશે.
પેટ્રોલ-ડીઝલ મોંઘા: રાત્રે 3 વાગ્યે ભાવ વધારાનો અમલ
ગુજરાત સહિત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹2.99 થી ₹3.09 નો વધારો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધ્યો છે. પ્રથમવાર રાત્રે 3 વાગ્યે ભાવ વધારાનો અમલ થતાં લોકોમાં આશ્ચર્ય અને આક્રોશ જોવા મળ્યો. 10,000ના પગારમાં આ ભાવ વધારા સામે લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેનાથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે.
પેટ્રોલ-ડીઝલ મોંઘા: રાત્રે 3 વાગ્યે ભાવ વધારાનો અમલ
મોંઘવારીનો માર: સોનું, દૂધ, પેટ્રોલ, ડીઝલ, CNG મોંઘા.
છેલ્લા 48 કલાકમાં સોનું, દૂધ, CNG, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે, જે નાગરિકો પર મોંઘવારીનો બોમ્બ બની ફૂટ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ સોના-ચાંદી પર આયાત ડ્યુટી વધતાં ભાવ વધ્યા, ત્યારબાદ દૂધ અને CNG મોંઘા થયા. હવે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર ₹3 સુધીનો વધારો થયો છે.
મોંઘવારીનો માર: સોનું, દૂધ, પેટ્રોલ, ડીઝલ, CNG મોંઘા.
બનાસકાંઠામાં જળ અને સ્વચ્છતા મિશનની બેઠક, કલેક્ટર અધ્યક્ષતામાં કામગીરીની સમીક્ષા.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો)ની સમીક્ષા બેઠક યોજાઈ. ગ્રામ્ય પાણી પુરવઠા અને સ્વચ્છ ભારત મિશનની કામગીરીની વિસ્તૃત સમીક્ષા, યોજનાઓ, ‘જળ સેવા’, ફરિયાદો અને નિવારણ પર ચર્ચા થઈ. ઉનાળામાં પીવાના પાણીની સુલભતા અને ગુણવત્તા જાળવવા પર ભાર મુકાયો.
બનાસકાંઠામાં જળ અને સ્વચ્છતા મિશનની બેઠક, કલેક્ટર અધ્યક્ષતામાં કામગીરીની સમીક્ષા.
મોંઘા ઇંધણથી મુક્તિ: ગાંધીનગરમાં EV વેચાણમાં 35% ઉછાળો.
વૈશ્વિક અસ્થિરતા અને મોંઘા ક્રૂડ ઓઈલ વચ્ચે, ગાંધીનગરના વાહનચાલકો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) તરફ વળી રહ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં EV વેચાણમાં 35% નો વધારો થયો છે. 2022માં EVનો હિસ્સો 2.56% હતો, જે 2026માં 5.44% થયો છે, જે ગ્રીન એનર્જી તરફ પ્રયાણ દર્શાવે છે.
મોંઘા ઇંધણથી મુક્તિ: ગાંધીનગરમાં EV વેચાણમાં 35% ઉછાળો.
NEET Paper Leak: શિક્ષણ મંત્રીની મધરાતની હાઈ-લેવલ મીટિંગ.
NEET paper leak મુદ્દે કેન્દ્ર સરકાર એક્શનમાં. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA, CBSE, KVSના અધિકારીઓ સાથે મોડી રાત્રે બેઠક યોજી. પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા પર ચર્ચા. આગામી 7-10 દિવસમાં ફરીથી NEET પરીક્ષા યોજાવાની શક્યતા. CBI એ 5 આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર લીધા. મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવાની તૈયારી.
NEET Paper Leak: શિક્ષણ મંત્રીની મધરાતની હાઈ-લેવલ મીટિંગ.
ખાંડ નિકાસ પ્રતિબંધ: ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો
AMC કર્મચારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, કાર અને ટુ-વ્હીલર શેરિંગ ફરજિયાત.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ માટે હવે કાર પૂલિંગ, ટુ-વ્હીલર શેરિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ફરજિયાત છે. આ નિર્ણય ઈંધણ બચાવવા અને રાષ્ટ્રીય સંપત્તિના કરકસરભર્યા ઉપયોગ માટે લેવાયો છે. નજીક રહેતા કર્મચારીઓએ કાર પૂલ કરવી પડશે, જ્યારે ટુ-વ્હીલર વાપરતા કર્મચારીઓએ બાઈક કે સ્કૂટર શેર કરવા પડશે. AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂકાયો છે.
AMC કર્મચારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, કાર અને ટુ-વ્હીલર શેરિંગ ફરજિયાત.
PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ફેરબદલ અને બચતની ચર્ચા.
21 મેના રોજ PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં સંભવિત કેબિનેટ ફેરબદલ, સરકારી યોજનાઓની સમીક્ષા, અને ખર્ચ ઘટાડવા પર ચર્ચા થઈ શકે છે. મોદી 3.0 સરકારના બે વર્ષ પૂરા થતાં પહેલાં આ બેઠક મહત્વની છે, અને ફેરબદલ જૂનના બીજા સપ્તાહમાં થઈ શકે છે. PM એ લોકોને ઇંધણ અને અન્ય ખર્ચ બચાવવા અપીલ કરી છે.
PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ફેરબદલ અને બચતની ચર્ચા.
વસ્તી ગણતરીમાં ગેરહાજર રહે તો 3 વર્ષની સજા, રાજકોટમાં 1-30 જૂન જનગણના.
રાજકોટમાં 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરી હાથ ધરાશે, જેમાં 7,375 કર્મચારીઓ ફરજ પર રહેશે. ગેરહાજર રહેનારાઓ સામે 3 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે. સેલ્ફ-એન્યુમરેશન 17 થી 31 મે સુધી https://se.census.gov.in પર ઓનલાઈન કરી શકાશે. આવાસ, અસ્કયામતો અને વ્યક્તિગત વિગતો જેવી 33 મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે. સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોની નિમણૂકથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસરની ચિંતા વ્યક્ત કરાઈ છે.
વસ્તી ગણતરીમાં ગેરહાજર રહે તો 3 વર્ષની સજા, રાજકોટમાં 1-30 જૂન જનગણના.
CNG ભાવ વધારો: મોંઘવારીનો ત્રિપલ એટેક.
USમાં 'પંજાબી ડેવિલ્સ' ગેંગ લીડરને 5 વર્ષની જેલ.
યુએઈથી ઈટાલી સુધી.... આજથી PM મોદી 5 દેશની મુલાકાતે.
PM મોદી 15થી 20 મે દરમિયાન પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવાનો છે. PM મોદી આજથી યુનાઈટેડ આરબ એમિરેટ્સથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અબુ ધાબી ખાતે તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, 15થી 17 મે દરમિયાન તેઓ નેધરલેન્ડની મુલાકાતે જશે. ત્યાં તેઓ ડચ પ્રધાનમંત્રી રાબ જેટેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર તથા ક્વીન મેક્સિમા સાથે પણ મુલાકાત કરશે.
યુએઈથી ઈટાલી સુધી.... આજથી PM મોદી 5 દેશની મુલાકાતે.
ગુજરાતમાં 5 દિવસનું વર્કિંગ વીક માટે રજૂઆત.
ગુજરાત સચિવાલય ફેડરેશન અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને રાજ્યની તમામ કચેરીઓમાં 5 દિવસનું અઠવાડિયું અને વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા રજૂઆત કરાઈ છે. પેટ્રોલ-ડીઝલ બચાવવા, ટ્રાફિક ઘટાડવા અને સમયનો વ્યય અટકાવવા આ નિર્ણય ફાયદાકારક ગણાવાયો છે. કોરોનાકાળમાં અમલી વર્ચ્યુઅલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા જાળવવાની માંગ છે.
ગુજરાતમાં 5 દિવસનું વર્કિંગ વીક માટે રજૂઆત.
'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર.
કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.પીએમ મોદી સામે તાક્યું નિશાન દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3-3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.
'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર.
મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો.
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 77.09 રૂપિયાથી વધીને હવે 79.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો.
આજે કેબિનેટની બેઠકમાં PM મોદીની અપીલના પાલન અને આયોજન અંગે ચર્ચાઓ કરાશે.
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે. બે અઠવાડિયા બાદ મળતી આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ, ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી, ડેમ અને જળાશયોમાં પાણીના સ્ટોક તેમજ ઈંધણ બચત અભિયાન અંગે ચર્ચા થશે. વડાપ્રધાન મોદીની સાત અપીલોના અમલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ મુદ્દે પણ વિમર્શ કરાશે. ઉપરાંત રાજ્યમાં ઈંધણના ઉપલબ્ધ જથ્થા અને વર્ક ફ્રોમ હોમ જેવા મુદ્દાઓ પર સમીક્ષા થશે.
આજે કેબિનેટની બેઠકમાં PM મોદીની અપીલના પાલન અને આયોજન અંગે ચર્ચાઓ કરાશે.
ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ.
૩૦ સપ્ટેમ્બર અથવા નવો આદેશ જારી ન થાય ત્યાંસુધી કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરઆંગણે ખાંડનો પૂરવઠો જાળવી રાખવા ભાવને નીચા રાખવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે. ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે, સરકારે ખાંડની નિકાસને મર્યાદિતમાંથી પ્રતિબંધિત યાદીમાં આવરી લીધી છે. આદેશ પ્રમાણે દેશમાંથી કાચી, વ્હાઈટ તથા રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ.
ઉદયનિધિ: ભગવાનમાં આસ્થા વિરુદ્ધ નથી; સનાતનનો અંત એટલે ભેદભાવનો અંત.
તમિલનાડુના ઉદયનિધિ સ્ટાલિને સનાતન ખતમ કરવાના નિવેદન પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે લોકો મંદિરે જાય તેની સામે નથી, પરંતુ જાતિ આધારિત ભેદભાવપૂર્ણ વિચારનો અંત આવવો જોઈએ. સનાતનનો અંત એટલે ઉચ્ચ-નીચના ભેદભાવનો અંત. DMK હંમેશા અસમાનતા અને ઉત્પીડનનો વિરોધ કરતી આવી છે.
ઉદયનિધિ: ભગવાનમાં આસ્થા વિરુદ્ધ નથી; સનાતનનો અંત એટલે ભેદભાવનો અંત.
ક્રૂડ તેલના ૧૦૦ ડોલર ભાવથી GDPમાં અડધા ટકાનો ફટકો.
ક્રુડ તેલના ભાવ ૩-૬ મહિના સુધી ૧૦૦ ડોલર ઉપર રહે તો GDPમાં ૦.૫% ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ભાવ પર ૧૫% ખર્ચ લાગે છે. પશ્ચિમ એશિયા કટોકટીને કારણે ઊર્જાના ભાવ વધ્યા છે, જેના પર નીતિવિષયકો ફુગાવા, બાહ્ય પરિબળો અને રાજકોષિય જોખમો પર નજર રાખી રહ્યા છે. ભારત ૮૫% થી વધુ ક્રુડ તેલ આયાત કરે છે, જે મોટાભાગે હોર્મુઝ ખાડી મારફતે આવે છે.
ક્રૂડ તેલના ૧૦૦ ડોલર ભાવથી GDPમાં અડધા ટકાનો ફટકો.
સોના પર ડ્યુટી વધતા FTA થકી દુબઈથી આયાત વધશે.
સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધતાં, GTRI માને છે કે FTA દ્વારા દુબઈથી આયાત વધી શકે છે. આનાથી India-UAE Comprehensive Economic Partnership Agreement હેઠળ યુએઈથી કિંમતી ધાતુઓની આયાતમાં મોટા ફેરફાર થશે. ભારતે UAE થી સોનાની આયાત માટે 120 ટનનો ટેરિફ રેટ ક્વોટા (TRQ) મંજૂર કર્યો હતો, જે સામાન્ય દર કરતા 1% ઓછો હતો.
સોના પર ડ્યુટી વધતા FTA થકી દુબઈથી આયાત વધશે.
પ્રાદેશિક પક્ષોના પતન સાથે ભાજપનું પ્રભુત્વ.
દેશની રાજનીતિમાં પ્રાદેશિક પક્ષોના પતન અને 'કિંગમેકર' ની ભૂમિકા સમાપ્ત થતાં ભાજપનું પ્રભુત્વ વધ્યું છે. મમતા, સ્ટાલીન જેવા નેતાઓ સંઘર્ષ કરી રહ્યા છે. ભાજપે રાષ્ટ્રવાદ, સંગઠન અને નેતૃત્વ દ્વારા રાજકીય સમીકરણ બદલ્યું છે. કોંગ્રેસની સ્થિતિ નબળી છે અને 'INDIA ગઠબંધન' નિષ્ફળ ગયું છે. ભાજપ સામે મજબૂત વૈકલ્પિક નેતૃત્વનો અભાવ છે.
પ્રાદેશિક પક્ષોના પતન સાથે ભાજપનું પ્રભુત્વ.
અમદાવાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: 6 વોર્ડ પ્રમુખ હટાવાયા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના નિરાશાજનક પરિણામ બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. 6 વોર્ડ પ્રમુખોને નબળા પ્રદર્શન બદલ પદ પરથી હટાવી દેવાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા યોજાયેલી બેઠકોમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. કાર્યકરો શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલના રાજીનામાની માંગ કરી રહ્યા છે, તેમનું માનવું છે કે તેમના કારણે ધાર્યું પરિણામ મળ્યું નથી.
અમદાવાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફાર: 6 વોર્ડ પ્રમુખ હટાવાયા.
સરકારી શટડાઉનમાં હવે અમેરિકન સેનેટરોને વેતન ભથ્થાં નહીં મળે.
ભારતથી વિપરિત સ્થિતિ અગાઉના સરકારી શટડાઉનોમાં કોંગ્રેસના સભ્યોના વેતન-ભથ્થાં ચાલુ રહેવાના કારણે ભારે ઉહાપોહ થયો વોશિંગ્ટન: અમેરિકાના ભાવિ શટડાઉનમાં હવે સેનેટરોને પણ તેમના વેતન અને ભથ્થાં નહીં મળે. આ માટેની તૈયારી આદરવામા આવી ચૂકી છે. સેનેટે પોતે જ સરકારી શટડાઉન દરમિયાન સેનેટરોના વેતન અને ભથ્થાં અટકાવતો વિથહોલ્ડ પેનો ઠરાવ ૯૯-૦થી પસાર કર્યો હતો. જ્યારે રિપબ્લિકન સેનેટર પીટ રિકેટ્સે હાજર રહ્યા ન હતો.
સરકારી શટડાઉનમાં હવે અમેરિકન સેનેટરોને વેતન ભથ્થાં નહીં મળે.
સિસ્કોએ એઆઈ અપનાવીને 4,000 કર્મચારીઓની છટણી કરી.
વૈશ્વિક ધોરણે પાંચ ટકા કર્મચારીઓ અસરગ્રસ્ત - એઆઈ ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ વધી : કંપનીને 1 અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા ન્યૂ યોર્ક: અમેરિકાની ટેકનોલોજી કંપની સિસ્કોએ લગભગ ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની હવે એઆઈ, સાયબર સિક્યોરિટી અને સિલિકોન ટેકનોલોજી બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.