નેપાળમાં વધુ એક ખતરો: ચીનની ચેતવણી, નદી પરનું સરોવર ગમે ત્યારે તૂટી શકે
નેપાળમાં વધુ એક ખતરો: ચીનની ચેતવણી, નદી પરનું સરોવર ગમે ત્યારે તૂટી શકે
Published on: 29th August, 2026

નેપાળમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર બાદ હવે વધુ એક સંકટ સર્જાયું છે. ચીને નેપાળને ચેતવણી આપી છે કે લ્હેંડે નદી પર કાટમાળ જામવાથી બનેલું કુદરતી સરોવર ગમે ત્યારે ફાટી શકે છે. આ સરોવરમાં પાણીનો જથ્થો વધી રહ્યો છે, જે ગંભીર ભયનો સંકેત છે. જો આ સરોવર તૂટશે તો નદીમાં પાણીનો પ્રવાહ મહત્તમ 500 ઘન મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. ગ્લેશિયર તૂટવાથી બનેલા આ સરોવરમાં શુક્રવાર સુધીમાં આશરે 25 લાખ ઘન મીટર પાણી જમા થઈ ચૂક્યું હતું.